Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 12
________________ ખોટું છે. ગમે છે માટે નહિ, ભગવાન કહે છે માટે કરીએ તો કામ સરસ થાય. આના કારણે રાગ જાય, વૈરાગ્ય આવે અને આજ્ઞાનું પાલન થાય. આજ્ઞાના પાલન માટે વૈરાગ્યની તાતી જરૂર છે. આ સંસારમાં કોઈ પણ જાતનો ગુણ નથી એમ લાગ્યા વિના વૈરાગ્ય નહિ આવે. આ સંસાર નિર્ગુણ જાણ્યા પછી સંસાર પ્રત્યે દ્વેષ જાગે એ વૈરાગ્યનું કારણ છે. આજે સંસાર તમને સારો લાગે છે ને? સંસારમાં બેઠા છો તે શેના કારણે? સ. સુખના રાગના કારણે. રાગના કારણે કે આસક્તિના કારણે? રાગ અને આસક્તિમાં ફરક છે- સમજાય છે ને? રાગ વસ્તુની હાજરીમાં થાય અને આસક્તિ વસ્તુના અભાવમાં પણ હોય. આજે અમારી જ વાત કરીએ કે શિષ્ય ન થાય ત્યાં સુધી શિષ્યની આસક્તિ હોય અને શિષ્ય થયા પછી શિષ્યનો રાગ નડે. આજે સાધુપણામાં આવેલાને શિષ્યનો રાગ અને આસક્તિ બંને હેરાન કરે છે. અમારે ત્યાં ગુરુ-અદત્ત પણ આ રાગઆસક્તિમાંથી સેવાવા માંડ્યું છે. ગુરુએ ભણાવવા માટે કહ્યું હોય અને આ સમજે કે આપણે એના ગુરુ થઈ ગયા. આજે નિયમ આપું કે જ્યાં સુધી આપણા ગુરુ બેઠા હોય ત્યાં સુધી આપણે ગુરુ નથી થવું. સ. આવનાર પોતે આગ્રહ રાખે તો? તો તેવાને ઘરભેગો કરવો. મારા ગુરુને ગુરુ ન માને તેનો ગુરુ હું ન થઉ– આટલી પણ તૈયારી જેની ન હોય તે સાધુપણે કેવી રીતે પાળી શકે? Jain Education International For Private ૭ ) personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80