________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
શ્રીમાન્ સ્વામી કાર્તિકયાચાર્ય, પોતાનાં જ્ઞાન-વૈરાગ્યની વૃદ્ધિ થવી, નવીન શ્રોતાજનોને જ્ઞાન-વૈરાગ્ય ઊપજવાં તથા વિશુદ્ધતા થવાથી પાપકર્મની નિર્જરા, પુણ્યનું ઉપાર્જન, શિષ્ટાચારનું પાલન અને નિર્વિઘ્રપણે ગ્રંથની સમાપ્તિ ઇત્યાદિ અનેક ભલા ફળની ઇચ્છાપૂર્વક પોતાના ઇષ્ટદેવને નમસ્કારરૂપ મંગલપૂર્વક પ્રતિજ્ઞા કરી પ્રથમ ગાથાસૂત્ર કહે છે:
तिहुवणतिलयं देवं वंदित्ता तिहुवणिंदपरिपुज्जं । वोच्छं अणुपेहाओ भवियजणाणंदजणणीओ ।। १ ।। त्रिभुवनतिलकं देवं वंदित्वा त्रिभुवनेन्द्रपरिपूज्यं । वक्ष्ये अनुप्रेक्षा: भविकजनानन्दजननीः ।।१।।
અર્થ:- ત્રણ ભુવનના તિલક અને ત્રણ ભુવનના ઇન્દ્રોથી પૂજ્ય એવા દેવને નમસ્કાર કરી હું ભવ્યજીવોને આનંદ ઉપજાવવાવાળી અનુપ્રેક્ષા કહીશ.
ભાવાર્થ:- અહીં ‘દેવ ’ એવી સામાન્ય સંજ્ઞા છે. ત્યાં ક્રીડા, વિજિગીષા, વ્રુતિ, સ્તુતિ, મોદ, ગતિ, કાંતિ આદિ ક્રિયા કરે તેને દેવ કહેવામાં આવે છે. ત્યાં સામાન્યપણે તો ચાર પ્રકારના દેવ વા કલ્પિત દેવોને પણ (દેવ) ગણવામાં આવે છે. તેમનાથી (જિનદેવને ) ભિન્ન દર્શાવવા માટે અહીં ‘ત્રિભુવનતિન ં' એવું વિશેષણ આપ્યું છે. તેનાથી અન્ય દેવનો વ્યવચ્છેદ (નિરાકરણ-ખંડન ) થયો.
વળી ત્રણભુવનના તિલક તો ઇંદ્ર પણ છે, એટલે તેનાથી ( જિનદેવને ભિન્ન દર્શાવવા માટે * ત્રિમુવકેંદ્રપરિપૂછ્યું ' એવું વિશેષણ અહીં આપ્યું; તેનાથી ત્રણ ભુવનના ઇદ્રો વડે પણ પૂજનીક એવા દેવ છે તેમને અહીં નમસ્કાર કર્યા છે.
અહીં આ પ્રમાણે સમજવું કે–એવું દેવપણું તો શ્રી અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ પાંચ પરમેષ્ઠીમાં જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com