________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિય-ચિકિત્સાની પ્રાચીનતા
૨૫૧
આ ઉપરાંત અથર્વવેદ ૪/૧૩/૫ -૭માં આંગળીઓ વડે કામળ સ્પર્શથા રોગને મટાડવાની વાત પણ છે. આ માલિશ કે મસાજની ચિકિત્સાનું અસ્તિત્વ નિર્દેશ છે.
એ જ રીતે ધોરી નસ તૂટી જવાથી વહેતું લોહી બંધ કરવા માટે ધમનીઓને બાંધવાની શસ્ત્રક્રિયાને ઉલલેખ પણ મળે છે.૧૭ એક સ્થળે મૂત્રમાર્ગની પથરીને દૂર કરી મૂત્રમયન માટેની શસ્ત્રક્રિયાને ઉલ્લેખ પણ દષ્ટિગોચર થાય છે. અત્યારે પણ એલોપથીમાં મૂત્રમાર્ગમાં
કેથેટર' પસાર કરવાની પદ્ધતિ અપનાવાય છે. આપણા પ્રાચીને એ દર્ભ, શલાકા વગેરે દ્વારા પ્રયોગો કર્યા હોય એવું આથી માનવાને કારણું મળે છે.
વેદ ઉપરાંત રામાયણમાં પણ શલ્ય ચિકિત્સાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. ત્યારે શલ્યચિકિત્સકો “શય' (Surgeon) તરીકે ઓળખાતા હતા.
સ્ત્રીઓના ગર્ભાશયની શય-ક્રિયા તે સમયમાં થતી હોવાનો સંકેત કરતી સીતા હનુમાનને લંકામાં કહે છે....જે રામ એગ્ય સમયે આવી મારી રક્ષા નહીં કરે તે અનાર્ય રાવણ મારાં અંગોને શીધ્ર તીક્ષ્ણ બાણ વડે કાપી નાખશે; જેવી રીતે શલ્યચિકિત્સક ગર્ભસ્થિત બાળકને (બહાર ) કાઢવા માટે ગર્ભને તે જ એજારો વડે કાપી નાખે છે. ૧૯
આ ઉલેખ બતાવે છે કે કઠિન પ્રસવાવસ્થામાં અથવા માતાનું જીવન બચાવવા માટે શચિકિત્સક ગર્ભાશયની શલ્ય-ક્રિયા કરતા હશે. આજનું વિજ્ઞાન પણ આ રીત નથી અજમાવતું?
આખની શલ્ય-ચિકિત્સાને પણ ઉલ્લેખ મળે છે. કેપભવનમાં સ્થિત એકેયી રાજા દશરથને અલકનું ઉદાહરણ આપતાં જણાવે છે-“ એક અંધ બ્રાહ્મણની યાચનાથી અલકે તેને પોતાનાં ચક્ષ આપીને દેખતે કરેલો.૨૦ બીજા શબ્દોમાં કહીએ તે અન્યનાં ચક્ષુ વડે અંધને દૃષ્ટિ આપવાની ક્ષમતા ત્યારના ચિકિત્સકમાં હતી.
१७ शतस्य धमनीनां सहस्रस्य हिराणाम् ।
મધુરિમઝા મા સાન્તાઃ અસતા II અથર્વ- શરે १८ प्रते भिननि मेहनं वत्रं वेशन्त्या इव ।
gવા તે પૂર્વ મુરતાં ગાણિજિત સર્વમ્ છે અથર્વ–નારા नूनं ममानान्यचिरादनार्यः । शस्त्रैः शितैच्छेत्स्यति राक्षसेन्द्रः । तस्मिननागच्छति लोकनाथे
મંથનન્સોરિવ રાચત્તઃ વા.રા. ૨૬ ૨૦ વારના રવજે નેત્રે ૩ વૃથાવાના રહીવારા. ૨૧૨૬
For Private and Personal Use Only