Book Title: Swadhyay 1990 Vol 27 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 82
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મલ્લાદ મ. પટેલ આ પદ્ધતિનું સૌ પ્રથમ મંડાણ કરનાર છે ઉદ્યોતનસૂરિ. “કુવલયમાલા”માં તેમણે ક્રોધ, માન, લોભ, માયા વગેરે અમૂર્ત ભાવોનું માનવીકરણ કર્યું છે અને ત્યારબાદ પરવતી જૈન સાહિત્યમાં અને વિશાળ રાજમાર્ગ શરૂ થયે. આ ૨૧૨ આ રૂ૫કસાહિત્યને તેની ચરમ સીમાએ પહોંચાડવાને વશ “ઉપમિતિભવ પ્રપંચાકથા ” દ્વારા સિદ્ધષિગણીને ફાળે જાય છે. તે એ જ વિરાટકાય કૃતિને સંક્ષિપ્ત કરી કથાસાર મહાકાવ્ય જેવા નવતર સ્વરૂપે મૂકવાનું માન “વૈરાગ્રકલ્પલતા” દ્વારા ઉપા. યશવિજયને ફાળે જાય છે. સિદ્ધષિગણી કત “ઉપમિતિભવપ્રપંચાકથા"ને ડે. વાકેબીએ The first Allegorical work in Indian literature કહી છે. તે ઉપા. યશોવિજયજીકૃત વૈરાગ્રકલ્પલતા ભારતીય સંસ્કૃત સાહિત્યમાં સર્વોત્તમ કથાસાર મહાકાવ્ય છે. વેરાગ્વકલ્પલતાનું કથાવસ્તુ, પાત્રો, પ્રસંગે આંતરિક ભાવનાઓ, સિદ્ધાંતપ્રદર્શન, વર્ણનપરંપરા, કથયિતવ્ય –આ બધું જ ઉપમિતિ અનુસાર જ છે છતાં વૈરાગ્રકલ્પલતામાં યશોવિજ્યજીએ પિતાની અસાધારણ વિદ્વત્તા પ્રકટ કરવા કેટલાંક નવસજને-પરિવર્તન કરીને મૌલિકતા રજુ કરી છે પણ કહેવું જોઈએ કે તેઓ મૂળ કૃતિની પ્રભાવક અસરમાંથી મુક્ત થઈ શક્યા નથી. મોતીચંદ કાપડિયાએ યોગ્ય જ કહ્યું છે કે યશવિજયજીના ગ્રંથયુગલમાં ઉપમિતિને ટૂંક સાર જાણે કે સિદ્ધાષએ જ લખે હેય તેવી પદ્યરચના છે. આમ છતાં યશોવિજયજીની અસાધારણ વિદ્વત્તા, મૌલિક સર્જનશક્તિ અને વિશેષ તે જૈન શાસનની સર્વોત્તમતાદર્શક રજૂઆત સામર્થ્યનાં દર્શન થાય છે. તેથી સૂક્ષ્મતાથી જોનારને સંક્ષેપમાં પણ નવસર્જનના અંશે અવશ્ય જણાશે. તેમને નવસર્જન આ રીતે જોઈ શકાય. વૈરાગ્યકલ્પલતાને પ્રથમ સ્તબક યશોવિજયજીનું મૌલિક સર્જન છે. આ આખો ય સ્તબક તેમની પરિણત પ્રજ્ઞા અને અધ્યાત્મ તરફના અનુરાગનું સકળ છે. વૈરાગ્યક૯૫લતાને આ પ્રસ્તાવરૂપ સ્તબક નવસર્જન હોવાથી ઉપમિતિમાં આઠ પ્રસ્તાવ છે જ્યારે વૈરાગ્યક૫લતામાં નવ સ્તબક છે. ઉપમિતિ. ના પ્રથમ પ્રસ્તાવ અને વૈરાગ્યકલ્પલતાના પ્રથમ સ્તબકમાં એક ષમ્ય નોંધપાત્ર છે. સિદ્ધષિએ રૂપકાત્મક શૈલાની અપૂર્વતા છતાં તેની શાસ્ત્ર-સંમતિ પ્રસ્થાપિત કરતાં સરસ્વિતોપમાને તસિદ્ધાન્તડબુપામ્ય (ઉત્ત. ૧.૮૦) કહીને ઉપનયુક્ત પીઠબંધમાં આત્મલઘતાનું નિવેદન કર્યું છે, જ્યારે યશોવિજયજીએ પ્રથમ સ્તબકમાં સત્તરમી સદીના જૈન શાસનમાં તેમણે નિહાળેલી વિકૃતિઓ ઉપર પ્રહાર કર્યા છે. સિદ્ધર્ષિની આ રૂપકાત્મક પ્રસ્થાપિત શૈલીને લાભ થશેવિજયજીએ પૂર્ણ સ્વરૂપમાં લીધે છે તેથી તેમણે ઉપમિતિ. જેવી વિશાળ કથાને બે રીતે નવાજીને જેને સંસ્કૃત સાહિત્યમાં અંતિમ પ્રતિભાવંત સર્જક તરીકે અક્ષય કીતિ પ્રાપ્ત કરી છે. આ બે રીતેમાં એક છે–સાર સંક્ષેપ છતાં નવસર્જન કાટિની રૂપકાત્મક્તા અને બીજી કથાસાર મહાકાવ્યમાં સ્વરૂપ રૂપાંતર. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191