________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ટાઢુની અનુચુતકાલીન એ શિલ્પકૃતિએ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુ. હું. રાવલ - મુનીન્દ્ર વી. જોશી*
સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાના ટેટુ ગામનાં માતૃકાશિલ્પો અંગે સ્વતંત્ર લેખમાં ચર્ચા કરી છે. પ્રસ્તુત લેખમાં સમૂહનાં અન્ય બે અનુગુપ્તકાલીન શિપેાની ચર્ચા કરેલ છે. ૧ અર્ધનારીશ્વર :—( ચિત્ર–૧ )
જેના
પારેવા પૃથ્થરમાંથી કૌંડારેલ પ્રતિમા કિટથી ઉપરના ભાગેથી ખંડિત હાઇ ઉત્તરાંગની વિગતે મળતી નથી. હયાત શિલ્પખંડનું માપ આશરે ૦.૭૦ × ૦.૩૪ × ૦.૧૧ સે. મી. છે. અંગભંગિ પરથી પ્રતિમા ત્રિભસ્થિત ઢાવાનું જણાય છે. અર્ધનારીશ્વરની પ્રતિમા હાઈ વામાંગ દેવીનું દર્શાવવાને કારણે વામભાગે સાડીવસ્ત્ર ધારણ કરાવેલ છે. જયારે દક્ષિણ તરફને પગ દેવના હાઇ બન્ને જ ધા પરથી પસાર થતા વ્યાઘ્રામ્બર પૈકી વ્યાઘ્રમુખ દેવની જ ́ધા પર દર્શાવેલ છે. જયારે વ્યાઘ્રામ્બરનુંઅલ કૃત ગઢખ ધન વામજ ઘા પર દર્શાવેલ છે. અને ઇંડા પર કીર્તિમૃખ ( ?)નાં અંકન છે, જ્યારે બન્ને પગની મધ્યમાં સાડીવસ્ત્રની ગોમૂત્રિકભાતયુક્ત મધ્યપાટી દર્શાવેલ છે. વધુમાં વસ્ત્રના છેડા રેખાથી દર્શાવેલ છે. આ સવાય મૂળ શિલ્પની અન્ય કાઇ વિગતો પ્રાપ્ત થતી નથી. છતાં પગનુ ધાટીલાપણું શિલ્પની કંડારકામ શૈલી પર ગુપ્તકલાની અસર સૂચવે છે. પૃષ્ઠભાગે સન્મુખદ ને સ્થિત વાહન નંદીનું અંકન છે. જેના મસ્તિષ્ક ભાગે ત્રિસેરી મસ્તિષ્કાભરણુની મધ્યમાં પાંદડાધાટને પદક દર્શાવેલ છે. ગળામાં ધૂધરમાળ ધારણ કરાવેલ છે. ટૂંકા શિંગડા પૈકી જમણી તરફના ભાગ ખડિત છે. અ મિલિત આંખા અને લાવેલ નાસિકા શિલ્પને જીવંતતા બક્ષે છે. નંદીની ખૂધ ઉપસાવેલ છે જે પ્રાચીન પરિપાટીની સૂચક છે.
ડાખી તરફ દેવાભિમુખ ઉન્નત મસ્તકે સ્થિત અનુચર સ્ત્રીપ્રતિમાનુ` અંકન છે. મિલ કેશરચના, કાનમાં ગેાળ કુંડળ, ગ્રીવામાં ધારણ કરેલ એકાવલી, બાજુબંધ ઉત્તરીય વસ્ત્ર, રત્નક‘કણ, વગેરે ઉપરાંત ગોળાકાર મુખાકૃતિ ઘસાયેલ હોવા છતાં મુખ પર દાસ્યભાવ સ્પષ્ટ દેખાય છે. ઢળેલી પાંપણુ તથા ઉપસાવેલ હેાઠ મુખ પરના ભાવ વધુ સ્પષ્ટ કરે છે. જમા હાથમાં અથૅ તથા વામકરે પૂજાપાત્ર ધારણ કરેલ છે. નદીપ્રતિમાની પાછળ પણ માનવાતિ છે. પર`તુ ખંડિત હાઈ સંપૂણૅ વિગતે શક્ય નથી.
For Private and Personal Use Only
‘સ્વાધ્યાય’, પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી ક, એપ્રિલ ૧૯૯૦આગ૪ ૧૯૯૦, ૧, ૩૦૯-૩૧૨
૧૬, મણિદીપ સાસાયટી, જીવરાજ પાર્ક, વેજલપુર રોડ અમદાવાદ-૩૮૦૦૫૧