________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રણજિત પટેલ-“ અનામી
અહીં તો દયારામે મીરાંના અર્થબોધને પંકિતક્રમ ઉલટાવી અન્ય રીતે ઝીલ્યો છે. એ અથ ઝીલણ, શબ્દ-સામર્થ ને ભાવવ્યક્તિ મૂળ જેટલી સમર્થ નથી છતાં યે સમગ્રતયા વિચાર કરતાં જણાશે કે મીરાં ને દયારામ, કવિ તરીકે બંનેય અનન્ય છે.
કાવ્યને અને કવિનું નામ આપ્યા વિના જ જે નરસિહ મહેતા, રામકૃષ્ણ મહેતા, રાજે અને દયારામની કૃતિઓ છાપી હોય તે કર્તવને સંભ્રમ થાય એવા આ કવિએ છે. પણ આ ચારમાં નરસિહ મહેતા ને દયારામભાઈ એ બે તે ઘણાજ સારા ને અતિલોકપ્રિય કવિએ છે પણ રામકૃષ્ણ મહેતા અને રાજે પણ અભ્યાસ માગી લે તેવા ખમતીધર ધ્યાનાર્હ સુકવિઓ છે.
પરંપરાનું સુવર્ણ તો સૌ સર્જકોને કાજે છે, પણ એને સુડોળ ઘાટ ઘડવામાં ને આકર્ષક રાતે એમાં યથાસ્થાને નંગ જડવામાં સર્જકની મૌલિકતાને ઉમેષ પામી શકાય. નરસિંહ મહેતા અને રામકૃષ્ણ મહેતાનાં પદોમાં રસ અને રંગને વિનિયોગ અનેક સ્થળે થયે છે. દા. ત. –
રાતી ચૂડી કરે કામની, રાતાં ચરણાં ચુદડીઆ, રંગે રાતી કુંકુમની પીઅળ, તે તળે રાતી ટીલડી.
રાતે દંત હસે રાધાજી, રાતી કરે ચૂડી; રાતી વાંચે રમે પંખેરુ, સૂડલો ને શૂડી. રાતે સાળ સવિ સહીઅરને, રાતી સિર જડી, નરઆના સ્વામી સંગ રમતાં, રાગમાંહાં ગયાં બૂડી. ”
નરસિંહમાંથી પ્રેરણા લઈ સફળ અનુકરણુરૂપે રચાયેલી રામકૃષ્ણ મહેતાની રચના જોઈએ.
રંગ્ય રાતા કેર્ કુંકુમ-વરણ, રાતી વનની વેલડી, રાતે કાંહાંનડ કેલ્પ કરે, ત્યાંહ રાતી સરવ સહેલડી. રાતા દંત અધર નખ રાતા, રાતી ચલી ચુનડી, રાતાં અબીર ગુલાબ ઊડાડે, તે રાતી રત્નની મુદ્રડી. રાતી રય છે અતિ રઢિઆલી, રાતી બાલા વેલડી, રામકૃષ્ણ પ્રભુ પ્રેગ્યે રાતે, રાધા રંગની રેલડી”.
નરસિંહ અને રામકૃષ્ણ વચ્ચે ખાસ્સે લગભગ અઢીસો વર્ષનું અન્તર છે પણ બંનેના પદની ભાષા જોતાં નરસિંહની લોકભાગ્યતા ને લોકપ્રિયતા સ્વયંસ્પષ્ટ છે. નરસિંહે ગાયું –
મને જનમ ધર્યાનું પુણ્ય લ્હાવો: દર્શનને...”
For Private and Personal Use Only