________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીયુત પ્રીતમલાલ કચ્છીનું ઉન્નતિરતિ–
- એક મનોવિશ્લેષણ
સી. વી. ઠકરાલ" શ્રી પ્રીતમલાલ નૃસિંહલાલ કરી જૂનાગઢના વતની હતા. તેમની જન્મતિથિ વિષે તેમના વર્તુળમાંથી માહિતી મળી શકી નથી. તેમનું અવસાન તા. ૨૧-૧-૬૩ ના રાજ થયેલું એવી માહિતી તેમના એક અપ્રકાશિત પુસ્તકમાં તેમના કુટુંબીઓએ કરેલી નોંધ પરથી મળી આવે છે. “હોલકરવંશ પ્રશસ્તિ કાવ્ય' નામના તેમના આ કાવ્યમાં દર્શાવવામાં આવ્યું છે તે મુજબ તેઓ મુખ્તાછમ બહાદુર એવો ખિતાબ ધરાવતા હતા. અયોધ્યાની સંસ્થાએ તેમને મારા વિવાન એવી ઉપાધિ પણ આપી છે. તેમણે ઈરની મહારાજા શિવાજીરાવ હાઈસ્કૂલ તથા શ્રીમતી અહિલ્યાબાઈ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે રહીને સંસ્કૃત તથા અંગ્રેજીમાં નિમ્નલિખિત ગ્રંથની રચના કરી છે:
(૧) ઉન્નતિ ત –માર્ગશીર્ષ ૧૫, ગુરુવાર સં. ૧૯૮૧ ( ૨ ) કવિતાત-ભાદ્રપદ શુદ્ધ ૪, રવિવાર સં. ૧૯૮૧ (૩) હાર્યાત –ફાગુન કૃષ્ણ ૫, રવિવાર સં. ૧૯૮૧ (૪) r[ત્તિ તા-૧૨-૯-૨૮-મહારાણી અહિલ્યાબાઈની પુણ્યતિથિનિમિરો પ્રકાશિત.
શ્રાવણ કૃષ્ણ ૧૩, સં. ૧૯૮૫ (૫) અcrષના રાતા–જુલાઈ ૬, ૧૯૩૦ (૬) માતૃભૂમિથી–૪-૨-૩૨ (७) होल्करवंशप्रशस्तिकाम्यम् (૮) Poems on Work and Nature. (6) Indian Thought in English Garb.
આ કવિએ પોતાના જીવનને મોટે ભાગે ઈદર તથા ખરગોણમાં પસાર કરેલું હોવાથી તેમની કૃતિઓ વિષે ગુજરાતમાં બહુ જ અલ્પ માહિતી મળે છે. તેમણે પાંચ શતકોની રચના * કરી છે. તેમાંથી ૩નતિકરારને પરિચય આપવાનો આ પ્રયાસ છે.
અન્ય સામાન્ય શતકોની જેમ આ શતકમાં ૧૧૪ પદ્યો છે. સાથે તેમના પરિશિષ્ટરૂપે એક પંચક અને એક ષ જોડવામાં આવ્યાં છે. આમ કુલ સંખ્યા ૧૨૫ પર પહોંચે છે. આ પઘોની રચના જરા જુદા પ્રચલિત અને અપ્રચલિત છદોમાં કરવામાં આવી છે. શરૂઆતના
“ સવાયાય', પૃ. ૨૦, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૯આગઇ ૧૯૯૦, પૃ. ૩૪૩-૩૫૦.
• ૨, રાવલિયા પ્લેટ, પોરબંદર, ૩૬૦૫૭૫ - ૧ - વા ૧૯
For Private and Personal Use Only