Book Title: Swadhyay 1990 Vol 27 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 129
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ (know thyself)ની સાધના કરે છે. એક નાની અમથી ઠેસથી આવી ગંભીર સાધના પ્રત્યે વળતા માણસની આ કથા, એમાં નિરૂપિત સમસ્યા દાર્શનિક હોવા છતાં, પ્રભાવક અને કળાત્મક બનતી નથી, બલકે અતિ સરળ (naive) લાગે છે, એનાં બે કારણે છેઃ એક તે, લેખકનું વસ્તુવિભાવને કાચું છે. માણસ આટલી ગંભીર સાધનાને માર્ગે વળે એ માટે એના અહંને, સ્વને જોરદાર ધક્કો પહોંચાડે તેવી નક્કર અને સંગીન કારણવાળી ધટના હેવી જોઈએ, અહીં એમ નથી. બીજ નાયકના મન-હૃદયને મૂંઝ, રિબાવે, વિદારે એવી કોઈ સંઘર્ષમૂલક કટોકટીનું આલેખન થયું નથી. આ કથાને નાયક મધુર જેવી નીતિવિષયક, નીલકંઠ જેવી મૂલ્યવિષયક, હું ' જેવી ચેતનાવિષયક કોઈ કટોકટી અનુભવતો નથી. સભાનતાસિદ્ધિને પ્રયોગ માંડતા તેને નાયક વિના વિરોધ એ પ્રયોગમાં આગળ ધપે, પાર ઊતરે, તેમાં તેને કોઈ જાતના અવરોધ નડે નહીં, કોઈ એના નિર્ણય અને વર્તનને પડકારે નર્ટી, એના પ્રયોગમાં બધું સહેલાઈથી પાર ઊતરે એ સ્વાભાવિક લાગતું નથી. એ નેકરી, શહેર, સંબંધે વગેરે તે છેડી શકે પણ કામવૃત્તિ ય એટલી સહેલાઈથી છેડી શકે એ ગળે ઉતરે તેવું નથી. આટઆટલી બાબતોનો ત્યાગ કરતાં એને જાત સાથે, વૃત્તિઓ સામે ખાસ ઝવું પડતું નથી ! બહારનાં કોઈ પરિબળે તો ઠીક, તેનું મન પણ તેને વિરોધ કરતું નથી, સાનુકુળ થઈ રહે છે ! મનનાં પરસ્પર વિરોધી વલ, તેમનાં બળાબળ, ઉધામા-કશુ લેખકે અસરકારક રૂપમાં દર્શાવ્યું નથી, એ આ રચનાની ખામી છે. આત્મ-અભિજ્ઞાન જેવા વિષયવસ્તુને હાથ ધરી તેમાંથી લઘુનવલ સર્જાતાં વસ્તુવિભાવન અને આલેખનની આવી કચાશને કારણે આ રચનામાં લેખક વડે એક સક્ષમ વિષયવસ્તુ વેડફાઈ ગયું છે. ચિનુ મોદીની “ભાવ અભાવ ' લઘુનવલને નાયક ગૌતમ વ્યાસ પણ આમઅભિજ્ઞાન પામવાની મથામણમાં છે. ગૌતમને સતત એમ લાગ્યા કરે છે કે પિતે સ્વનિર્મિત નહીં પરંતુ પૂર્વનિણિત જીવન જીવી રહ્યો છે. તે આ જાતના જીવન વિશે એણે પોતે નિર્ણય લીધો નથી તે અન્ય કોણે લીધે છે, એની તે સભાનતા સાથે શોધ કરવા માંગે છે. આ વાતની સભાનતા આવી તેથી તે હવા (to be)માંથી કશુંક થવાની (becoming)ની પ્રવૃત્તિમાં આગળ વધવા માગે છે. ત્યારે તેને ધણું ય મિશ્યા જણાવા લાગે છે. એ આ અંગે ખૂબ વિચારે છે. પિતાને હવડ વાવ ગમે છે, એમાં રચાતાં કુંડાળાં ગમે છે, વિવેક વણજારાની વાત ગમે છે–એનું શું કારણ? અમુક બાબતે પ્રત્યે ભાવ અને અમુક પરત્વે અભાવ કેમ થાય છે? વિચાર કરતાં તેને એમ લાગે છે કે આ બધી બાબતે પૂર્વજનાબદ્ધ છે. પણ એને પ્રશ્ન એ સતાવે છે કે આ પૂર્વજના કરનાર છે કોણ? પિતાના આત્મામાં ઊંડે સુધી ઊતરી એ આ પ્રશ્નના ઉત્તરે ખેળવા ચાહે છે. જે પિતે આગલા જન્મનાં કર્મબંધનથી બંધાયેલ હોય અને આ જીવનમાં બધું એના પરિપાક/પરિણામરૂપે બનવાનું હોય તે આ બધી ઝંઝટ શાની ? નિર્મમ થઈ આત્મપૃથક્કરણ કરતાં ગૌતમને, પોતે સૌની જેમ સહજરૂપે જીવન જીવી શકવાને બદલે જીવનવર્તુળમાંથી શા કારણે ફેકાઈ ગયો છે તેનું કરુણ ભાન લાધે છે. માણસના ભાવ અને અભાવ વિશેની એક સંકલનાને એક ચરિત્રની ચતસિક ભૂમિકાએ મૂકીને તેમાંથી કથા સર્જવાને લેખકે પ્રયત્ન કર્યો છે. પરંતુ એ સફળ થઈ શક નથી. કેમકે એ અનુભવ જેટલો અમૂર્ત અને ભાવવાચક ભૂમિકાએ રહે છે તેટલો મુક્ત અને સંવેદ્ય ભૂમિકામાં આવતું નથી. માણૂસની have અને have notની For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191