________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ઉપેક્ષિત સુકષિ-શ્રી રામકૃષ્ણ મહેતા
વીર માહારે તરસ્યાનું ટચ તળાવ, કે સૂકાને સૂધે વાવલે એ વિરે માહારે ન-ભાયાનું માય-સાળ, કે ભૂખ્યાને ભરમાળવો એ. ૯ વીર માહારે અમૃત અષાઢાને મેહ, કે અવસર આવી ઊતર્યો એ પ્રભુ રામ-કૃષ્ણ રસરૂપ કે જસ તેહેન વેદ કહે એ ”. ૧૦
આવાં સુંદર પદ ઉપરાંત કવિએ વ્રજભાષામાં ને ગામઠી ભાષામાં પણ કેટલુંક કાવ્યસર્જન કર્યું છે. “ગજેન્દ્ર-મોક્ષ આખ્યાન' નામે એક નાનકડું આખ્યાન રહ્યું છે જે પ્રેમાનંદની આખ્યાનપ્રણાલિને અનુસરે છે. સાત પદ જેવાં કરવામાં એની રચના થઈ છે. સૂરદાસ, મીરાં વગેરે કવિઓએ ગજેન્દ્ર-મોક્ષ અંગે પદ પણ લખ્યાં છે'. 'ગજેન્દ્ર-મેક્ષ આખ્યાન'ના બીજા કડવામાં કવિએ જે વનવર્ણન કર્યું છે તેમાંની કેટલીક પંક્તિઓ જોઈએ.
પાડલ પરિમલ બેહે કે રે, લેહે આંબાની ઓળ, કોકિલ કલરવ કુંજે રે, કીર કરે કાલ. પારિજાતિકની રે પંગત્ય, સંગત્ય નવલ રે નત, માલતી ચંપક ફુલે રે, ઝુલે મધુકર જૂથ. મુચકુંદ મારુઓ ને મેગરે, બેહેકે મંદ મંદાર જાઈ જઈ ને રે કેતકી, કણવીર ને કલ્લાર".
પ્રકૃતિ ઉપરાંત, માનવપ્રકૃતિના નિરૂપણની ફાવટ પણ નોંધપાત્ર છે. માહથી ગ્રસ્તવ્યસ્ત ગજરાજને નિહાળીને હસ્તણી વિલાપ કરે છે ત્યારની તેમની ઉક્તિઓ અને ગજરાજનું સમાશ્વાસન આ આખ્યાનના પાંચમા કડવામાં નિરૂપાયું છે. હસ્તિની કહે છે –
“છાહ્યાં પરવશ દેખી પિકને રે, પાંમી મન પરિતાપ, ધીરજ મૂકીને હસ્તિણું, સહુ કરવા લાગી વિલાપ. ગ્રહ ભાગું રે ભેલા ઘરધણું, કોણ વિશે પરિવાર? માહારા કુટમ-ઢાંકણુ-કંથજી; તાહારી કેણુ ચઢે અહીં વાહાંર ?
ઘર ભાંગ્યું રે ગજરાજજી.
કાંઈ ન પ્રીન્યૂ રે કાંગ્યની અમે, કાચે સાલ સાથ, અહો પ્રાગવડનાં પંખીઓ, તૂ બાવા હતા નાથ.
ઘર ભાંગ્યુ રે ગજરાજજી”,
સ્વ ૧૬
For Private and Personal Use Only