________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરેશ ૪
ગુજરાતી કથાસર્જકો આ સ્વરૂપની વિશેષતાઓ અને લાક્ષણિકતાઓને પૂરી સમજી શક્યા નથી. એટલે મનુષ્યની અસ્તિત્વપરક અને પ્રકૃતિગત કટોકટી જેવા દાર્શનિક વિષ તરફ ઝાઝું ધ્યાન આપ્યા વિના પ્રેમ અને તેનાં નાનાવિધ રૂપોની મનોરંજનલક્ષી સામાન્ય લઘુનવલ લેખતા રહ્યા છે. તેમ છતાં એવા પણ કેટલાક સર્જકો છે જેમણે લઘુનવલની પ્રકૃતિને અનુકૂળ થાય તેવાં વિષયવસ્તુઓ લઈ તેનું રૂપાયન સાધવાના પ્રયત્ન કરી જોયા છે. પ્રસ્તુત લેખમાં, આવાં દાર્શનિક વિષયવસ્તુઓ ગુજરાતી લઘુનવલમાં કેટલાં અને કેવી રીતે આવ્યાં છે તેની વિચારણા કરવાનો આશય છે.
ગુજરાતીની પહેલી કલાત્મક લઘુનવલ “ સાચાં શમણાં” આમવંચના અને આત્મઘાતનું વિષયવસ્તુ લઈને રચાયેલી છે. પન્નાલાલ પટેલ ભલે સુશિક્ષિત અને જીવનના દાર્શનિક કરના જ્ઞાતા ન હોય, એમની હયાઉકલતે આ વિષયવસ્તુની એક નિતાંત સુંદર રચના આ લઘુનવલમાં આપી છે. એને નાયક મયુર પૈસેટકે બાળબચ્ચે અને ઘરગૃહસ્થી એ બધી રીતે સુખી છે. ટપિ હારવાની ખુશાલીમાં એ ગ્રામવાસીઓને નોતરે છે. ત્યાં હસીખુશી મજાકમસ્કરીમાં એ લોકો તેને બી એ કરવાનું સુચન કરી બેસે છે. મોટિયારે એના કુળની એવી પરંપર શાખ પૂરે છે. પત્નીની માયામાં મહાલે અને એના હાલમાં ભીંજાયેલે મથુર એ વાત સાંખવા તે ઠીક સાંભળવાય ત્યાં રોકાતો નથી. ત્યારે તે એ ઉજાણુમાંથી ભાગે છે પણ એ વાત એના મનમાંથી ખસતી નથી. એ લોકોથી દૂર ભાગી શકાયું પણ મનથી દૂર એ કયાં ભાગી શકે ? બીજ' ઐ૨’ કરી શકે તેવી આર્થિક સ્થિતિ, સમાજ અને માટિયારાની સાનુકૂળતા અને સહાય, પત્નીની સુવાવડ અર્થે ઘરે આવેલી મારકણા સૌંદર્યવાળી અને સાસરે દુઃખી એવી સાળી મણિની નિકટની હાજરી તેના મનને ઘૂમરીએ ચડાવે છે. એમાંથી મનને ઉગારવાના મિથ્યા પ્રયાસો કરી જોકે, એક ઉપર બીજ' એવું કરવું કે નહિ એની ભાવદ્વિધામાં અટવાતે ગૂંચવાતે મૂંઝાતે રૂંધાતે, કાં તો પત્ની પિતાને આમાંથી પાછા વાળે અથવા મણિ એને યોગ્ય લાગે તે નિર્ણય લઈ ઉગારે એવું ઈચ્છતો. આખરે દેવને શરણે જઈ મણિ જોડે હાથજોડ વિધિ કરી લેતે મથુર, તેમ છતાંય ભગવાન પાસે દુશ્મનનેય આવાં શમણું સાચાં ન પડે એવી કાકલુદી કરે છે. જેનાથી બચવા ઉગરવા એ આટઆટલું મ છતાં આખરે પરાજિત થયે તેનાં કારણે કયાં ? માનવ કરતાં સંજોગોની બળવત્તા ? સંસ્કૃતિ કરતાં પ્રકૃતિની પ્રબળતા ? જાગૃત મન પર અજાગૃત મનની સરસાઈ ? કે પછી ભેળિયે મથુર જેને સમજી નથી શકતો એવી એની કોઈ આંતરિક નબળાઈ? એના જીવનમાં ઉભા થયેલા સાનુકૂળ સંજોગો ઉપરાંત એના પતનમાં એના અજાગૃત માનસમાં ઉડે ઉડે પડેલી બહુસ્ત્રીવિષયક રતિભાવનાને ફાળે એાછો નહિ હોય. મથુર એક નાની અમથી વાતમાં આટઆટલો રીબા સિઝાયો કેમ? તેનું કારણ એ છે કે, એના માટે પ્રશ્નની નીતિમત્તાને (moral problem) છે. ભલે એ ભલે ભેળે ભાવુક ગામડિયે છે, પિતાના મનમાં મચેલા ઉ૫તનાં ખરાં કારણે એ શિક્ષિત સમજદાર માણસની જેમ વિચારી ઓળી શકતે નથી, પણ એ લોકોની માફક ચતુરાઈપૂર્વક દંભ-ડાળ આચરતો નથી. આત્મવંચન કરે છે પણ એ તેની અબુધતાને કારણે. પિતાની જ આંતરિક કમજોરીઓથી પરાભૂત થતાં મથુરની જીવનકતામાં ખરેખર તો આત્મવંચનાને પરિગ્રામે આવતા આત્મઘાતની વાત છે. મથુર
For Private and Personal Use Only