________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“વીણાવાવેત્ત'–કર્તુત્વને પ્રશ્ન
આર. પી. મહેતા*
ઈ. સ. ૧૯૩૧માં એસ. કુપુસ્વામી શાસ્ત્રીએ મદ્રાસથી ઓરિએન્ટલ રિસર્ચના મૈમાસિકમાં મદ્રાસ ઓરિએન્ટલ સિરીઝના બીજા પુસ્તકરૂપે નાટક “વીણાવાસવદત્તમ * પ્રકાશિત કર્યું છે. મદ્રાસની ગવર્નમેન્ટ મેન્યુસ્ક્રીપ્ટ લાઈબ્રેરીની ૨૭૮૪ ક્રમાંક ધરાવતી એકમાત્ર હસ્તપ્રતને આધારે એમણે આનું સંપાદન કર્યું છે. આની પ્રેસકૅપી ડે. સી. કુન્દન રાજા, શ્રી ટી. આર ચિન્તામણિ અને શ્રી ટી. ચન્દ્રશેખરન દ્વારા તૈયાર થઈ છે.
નાટક પહેલા ત્રણ અંક સુધી અખંડ છે. ચેથા અંકમાં પ્રારંભમાં ત્રણે પંક્તિઓ છે. પછી નાટક અધુરું છે. નાટકમાં લેખકનું નામ નથી; નાટકનું પિતાનું નામ પણ નથી. જેને આધારે સંપાદન થયું છે, એ હસ્તપ્રતની સાથે એક કાર્ડ બાધેલું છે; તેમાં આનું શીર્ષક “વીણાવાસવદત્તમ’ આપેલું છે.
ઈસ. ૧૯૩૦ની છઠ્ઠી ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સમાં ડો. સી. કુન્હન રાજાએ A new drama of Bhasa લેખ વાંચે હતા; તેમાં આ નાટકને ભારરચિત જણાવ્યું હતું. આ નાટકને ભાસ-નાટકો સાથે શૈલીનું અને સ્વરૂપનું કેટલુંક સામ્ય છે–પ્રસાદગુણ છે, પદ્યોની ઓછપ છે, પદ્ય વસ્તુમાં સહાયક છે, સંવાદ ટૂંકા અને અર્થપૂર્ણ છે, સૂત્રધાર દ્વારા આરંભ થાય છે, પ્રસ્તાવના ટૂંકી છે. પ્રસ્તાવનાને બદલે સ્થાપના શબ્દ છે. નાટક “ પ્રતિજ્ઞા યોગધેરાયણ’ સાથે
આ નાટકના કેટલાક કથા સમાન છે– પ્રદ્યોતની વિવાહમન્ન, ઉદયનને લગતું કાવતરું, નીલગજનિમિત્તો એનું ગ્રહણ, પ્રતિજ્ઞા નાટક સાથે આને કોઈકવાર શાબ્દિક સામ્ય છે -. આ નાટકના બીજા અંકમાં મંત્રી વિષ્ણુત્રાત ઉદયનને કહે છે.-ઑાવૈતાલીના રિવાઝાન લેવો vહીનું સમર્થઃ | પ્રતિજ્ઞા.માં મંત્રી રમવાન “ઉદયનને કહે છે-ન વસુ તે વેરાવળTIીનાના લિતાણાનાં પ્રણે ન સમજીવનીયમ | ભાસના જેવી નાટ્યપ્રયુક્તિ આ નાટકમાં જોવા મળે છેત્રીજા અંકમાં, હૃ-ગાય ! તથા I () પ્રમવા
“સ્વાદયાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦-. એગષ્ટ ૧૯૯૦, ૫ ૨૮-૨૯૨,
• એ, ૧૧, અંજના સોસાયટી, શિશુમંગલ પાસે, જુનાગઢ- ૩૬૨ ૦૦૧, 1 Sastri S. Kuppuswami; f ateT77H, Madras, 1931-24101722110
૨ રામf (s.) રામ;, સંતો , તિલકવા નાટક, રેવનાગર sFTરાન જયપુર, ૬. ૨૨૩,
३ भासनाटकवक्रम्, प्रतिज्ञायौगन्धरायणम्, प्रथमोऽङ्कः, ओरिएन्टल बूक एजन्सी, पूना,
For Private and Personal Use Only