________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત નાટયશાસ્ત્રમાં નાટકના
નાયક પરત્વે વિસંવાદ..
એમ પી. કાકડિયા* સંસ્કૃત નાટયશાસ્ત્રની એક સુદીર્ધ પરંપરા આપણને તેના લિખિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અલબત્ત, આ પરંપરા ઉપર ભરતમુનિના નાટયશાસ્ત્ર પ્રભાવ વર્તાય છે, તે પણ દશરૂપક કે નાટકંદર્પણના પ્રભાવની અવગણના થઈ શકે નહિ. સંસ્કૃત નાટયશાસ્ત્રની પરંપરા પર એક દષ્ટિપાત કરતાં એવું સ્પષ્ટ જણાઈ આવશે કે ભરત નાટયશાસ્ત્રમાં જે કોઈ નાટયલક્ષણુની પૂર્ણ
સ્થાપના કરી છે ત્યાં પરવતી આચાર્યો મુખ્યત્વે તેનું અનુસરણ કરવામાં જ પિતાનું ગૌરવ સમજે છે. પરંતુ નાટયશાસ્ત્રમાં એવાં પણ કેટલાંક સ્થળે છે, જ્યાં ભરતે એક જ વિષયનું એકી સાથે નિરૂપણ કરી આપેલ નથી અથવા તે તેને વધતું-ઓછું મહત્ત્વ આપ્યું છે, જેમ કે આલંબન વિભાવરૂપ નાયક-નાયિકા, નાટયાલંકાર, પૂર્વ રંગવિધાન, નાટિકા, પ્રકરણિકા વગેરે. સંસ્કૃત નાટયશાસ્ત્રની પરંપરામાં આવા પ્રસંગે વિસંવાદનું કેન્દ્ર બનતા હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે. આ વિસંવાદને મૂળસ્ત્રોત ભરતના નાટયશાસ્ત્રની નિરૂપણ પદ્ધતિ અથવા તે તેમના આશયને સમજવામાં નિષ્ફળ રહેલ પરવર્તી નાટયશાસ્ત્રીય પરંપરા હોઈ શકે છે. ગમે તેમ, પણ સંસ્કૃત રૂપક પ્રકારમાં નાયક પર કંઈક આવો જ વિસંવાદ પ્રવર્તે છે.
ભરતના મતે નાટકને નાયક પ્રખ્યાત, ઉદાત્ત અને રાજવી હોવા ઉપરાંત દિવ્ય આશ્રયવાળો હોય છે. અહીં ભરત એવું માનતા જણાય છે કે નાટકને નાયક દિવ્ય સહાયને પ્રાપ્ત કરનારો હોવા સાથે મર્યકોટિને તે અવશ્ય હો જોઈએ. તેમણે નાટયશાસ્ત્રમાં નાયકના દિવ્ય હોવા અંગે કોઈ સંકત, તરફેણ કે વિશ્વાસ કરેલ નથી. આથી ભરત–સંમત એવું વિધાન કરવામાં કોઈ આપત્તિ હોઈ શકે નહિં કે મત્ય કટિને અને જેને દિવ્ય આશ્રય ક સહાય પ્રાપ્ત હોય તે નાટકને નાયક બનવા સક્ષમ છે. પરંતુ પરવર્તી આચાર્યો દ્વારા આ મૂળ સ્રોતનું એના એ રૂપે અવતરણ થઈ શક્યું નથી. પરિણામે એક બીજી વિચારધારાને સૂત્રપાત થયે, જેનું કોય ધનંજયના ફાળે જાય છે. તેઓ નાયક સંબંધી ભરતના મતનું અતિક્રમણ કરી એવું સ્થાપે
‘સ્વાધ્યાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઑગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૬–૧૭૦.
• સંસ્કૃત વિભાગ, ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજ, જામનગર, ૨ ...ચાતોરાતના યાત્રા
राषिवंशचरितं तथा च दिव्याश्रयोपेतम् ॥ २०: १०.
ભરતનાટયારF-શર્મા બટુકનાથ અને ઉપાધ્યાય બલદેવ (સં.) પ્ર. ચીખમ્બા સંસ્કૃત સંસ્થાન, વારાણસી, બીજી આવૃત્તિ. ૧૯૮૦.
For Private and Personal Use Only