________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વનવાસવદત્તમ”માં ભાસનું પ્રણયવિષયક મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ
૨૭૩
એક ગુણ પણ માનેલ છે પરંતુ અહીં ધમવિરહકામ અને ધર્મ વિરુદ્ધ કામ એવા ભેદે દર્શાવવાને આશય લાગતું નથી, કારણ કે ઉદયનનાં બીજાં લગ્ન પણ ધાર્મિક વિધિથી થયેલાં છે. કામદેવનાં પાંચ બાણે દ્વારા ઉપરોક્ત કામના બે પ્રકારનું સૂચન મળે છે. કામદેવનાં પાંચ બાણે છે. તે પણ બે પ્રકારે દર્શાવવામાં આવે છે.
नभर अरविन्दश्चाशोकञ्च चूतश्च नवमल्लिका नीलोत्पलञ्च पञ्चैते पञ्चवाणस्य सायकाः
અહીં જે પાંચ પુષ્પને નિર્દેશ છે, તે પાંચ જ્ઞાનેન્દ્રિય દ્વારા મન પર થતી અનિંદાત્મક અસરનાં પ્રતીક છે, અને તે દ્વારા પ્રગટતા પ્રેમને શુદ્ધ પ્રેમ તરીકે સૂચવ્યું છે.
બીજી રીતે સંમોહન, ઉન્માદન, શેષણ, તાપન અને સ્તભનને પણ કામનાં પાંચ બાણ દર્શાવ્યાં છે. આ બીજા પ્રકારનાં બાણો ભેગાત્મક અસરનાં પ્રતી:ો છે. આ પ્રકારની ભેદરેખા અહીં સૂચવાય છે. ઉદયનને પણ બીજી વખતના, પદ્માવતી સાથેના લગ્નને પરિણામે કામદેવનું છઠું બાણ સંમોહન લાગ્યું છે. તેનાથી તે વ્યથિત થયો છે અને તેની મને વ્યથા તે મનમાંજ વિચારે છે. એને ઉત્તર તે ભાસે પ્રેક્ષક પર છોડી દીધું છે. બીજી રીતે કહીએ તો અહીં એ પ્રશ્ન રજૂ કરી દીધા છે કે-એક પુરુષ બે સ્ત્રીને પ્રેમ કરી શકે કે નહીં ? એ રીતે ઉદયનના
સ્વપ્નસમાં પ્રયની સૂક્ષ્મ ભેદરેખા સૂચવાય છે. નીતીશાસ્ત્રમાં ડે. બી. જી. દેસાઈ પાના નં. ૧૧૭-૧૮ પર બેન્થામનું ઉદ્ધરણ આપતાં આ પ્રમાણે લખે છે “ મને વૈજ્ઞાનિક સુખવાદના પ્રણેતાઓમાં ગ્રીકનીતિશાસ્ત્રના સીનીક અને આધુનિક નીતિશાસ્ત્રની બેન્જામ અને મીલ છે, બેન્થામ કહે છે-Nature has placed man under the empire of pleasure and pain. His only object is to seek ploasure and shun pain. The principle of utility subjects everything to those motives."
મલ કહે છે “Desiring a thing and finding it pleasant, aversion to it and thinking of it as painful are phenomene entirely inseperable rather two parts of the same phenomena to think of an object as desirable and to think it as pleasant are one and the same thing.”
આ રીતે જોઈએ તે ઉદયનના મનમાં પણ પદ્માવતી તરફ ફૂપે અગમે છે. એનું માનવીય મન સૂથમ પ્રેમ અને સૂક્ષમ અણગમાના પડધાથી વ્યથિત થઈ ગયું છે.
ઉદયનની આ મને વ્યથાની સમતુલામાં વાસવદત્તાની ઘણી ઉક્તિઓને મૂકીએ તે વાસવદત્તાનું પહેલું ભારે સાબિત થાય છે. સ્વપ્ન ત્રીજા અંકમાં વાસવદત્તાની ઉક્તિ છેआर्यपुत्र प्रेक्षे इत्यनेन मनोरथेन जीवामि मन्दभागा। मने न शक्नोमि अन्यं चिन्तयितुम ।
વળી અંક ૪માં પદ્માવતી વાસવદત્તાને પૂછે છે કે
For Private and Personal Use Only