Book Title: Sutrakritanga Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 13
________________ દ્વેષ ન કરતાં સંસારથી પોતે મુકત થાય છે, તે ઉપદેશ થાય છે. ૧૩ માથાત જેવું નિર્મળ સ્પષ્ટ બેલવું તેવું આદરવું અને કેઈને દુઃખ ન દેવું તે આ અધ્યયનમાં બતાવ્યું છે. ૧૪ ગ્રંથ નામનું અધ્યયન છે, તેમાં રોકડ નાણું કે અંદર ક્રોધ વિગેરે સાધુ ન રાખે, ફકત શાસ્ત્ર ભણવું અને તપ કરે તે સાધુ જ બીજાને સમાધિ કહેવા યોગ્ય છે. ૧૫ આદાન-જ્ઞાનદર્શન ચારિત્ર જે આત્માના ગુણો છે તેને ગ્રહણ કરવા તેથી તે મેક્ષમાં જાય છે કે વૈમાનિક દેવ થાય * ૧૬ પૂર્વનાં પંદર અધ્યયનને સાર કહ્યો છે, તેમાં માહણ શ્રમણ અને ભિક્ષુ અને નિગ્રંથ કેવા હોય છે તે અહીં બહુ સારી રીતે બતાવ્યું છે. ( આ પ્રમાણે મુખ્યત્વે સાધુ સાધ્વીને ઉદ્દેશીને તેમનો સમય આનંદમાં જાય માટે આ અધ્યયનમાં વિદ્યાનંદ અને આત્માનંદ સાથે બતાવ્યાં છે, પણ ગૃહસ્થ જૈનો કે અજૈને પણ જો આ સંભાળીને વાંચશે તે તેમને ઘણું બધું મળશે, ખરી રીતે તે આ ત્રીજો ભાગ હિતશિક્ષારૂપ જ છે. એકલા સૂત્રનું બીજે ભાષાંતર છપાયેલ છે, તે સ્થાનકવાસીમાં વધારે વંચાય છે, મૂર્તિપૂજકામાં ટે ભાગે ટીકા વંચાય છે. આ ટીકા કઠણ હોવાથી તેને ઉપગ બહુ ઓછી કરે છે. એટલે જોઈએ તેવો આ તત્વ ગ્રંથને પ્રચાર થતું નથી, શ્રાવકોને મુખ્યત્વે ચરિત્ર અને કથા ગ્રંથ ઉપર ભાવ હોવાથી તે વાંચે છે પણ જે આવા ગંભીર અર્થવાળાં સૂત્રો વાંચે તે ઘણે લાભ થાય, તેથી જ આ ગુજરાતી ભાષાંતર કર્યું છે, અને શાતિથી વાંચી તેઓ જે તેને વિશેષ પ્રચાર કરશે તે સૂયગડાંગ સૂત્રનું બાકીની ટીકાનું ભાષાંતર પણ પ્રકટ થશે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 405