Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ કાચનો જન્મ ૧૫રાગમણિની ખાણમાં કદાપિ ન થાય. ૫રાગમણિની ખાણમાં કેવળ પધરાગમણિ જ થાય. અને કદાચ પઘરાગમણિની તુલનામાં ચઢતા-ઊતરતા બીજા મણિ થાય, પરંતુ કાચ તો થાય જ નહીં. એ જ રીતે ધર્મિષ્ઠ માતા અને દ્રવ્યાનુયોગના રસિયા પિતાને ત્યાં નેમચંદનો જન્મ થયો. નેમચંદને પાંચ-છ મિત્રો પણ તેમના સરીખા જ મળ્યા. મિત્ર એ જીવનની મૂડી છે. એ કદી ક્ષીણ થતી નથી. દુઃખ વખતે એ વધે છે ને સુખ વખતે એવી ને એવી રહે છે. એમને આવા મિત્રો મળ્યા હતા. એમણે શોધ્યા હતા. એમાંના એક દુર્લભજીભાઈ સાથે એમની ગાઢ મૈત્રી હતી. શાસનસમ્રાટશ્રીના આખાયે જીવન પર દષ્ટિપાત કરતાં જોવા મળે છે કે અને પ્રશ્ન થાય છે કે એમને આ શક્તિસ્રોત ક્યાંથી મળ્યો ? આ વિશિષ્ટ દૃષ્ટિ એમની પાસે ક્યાંથી આવી ? તીર્થોનો લગાવ ક્યાંથી આવ્યો? ભણવા માટેની લગન ક્યાંથી આવી ? એમણે જ્યારે પણ આંગળી મૂકી છે ત્યારે પહેલા નંબરની ચીજ પર જ મૂકી છે, નીચેના સ્તરથી શરૂઆત નથી કરી. એમની પસંદગી સૌથી ઉચ્ચ કક્ષાની રહેતી. ઉદાહરણ તરીકે તેઓ સંસ્કૃત વ્યાકરણ ભણવા ગયા ત્યારે સૌથી મોટી કહેવાતી ‘અઢારહજારી' કે જેમાં અઢાર હજાર શ્લોકપ્રમાણનો સમાવેશ થતો એ તેમણે પાંચ વર્ષના દીક્ષાપયમાં કંઠસ્થ કરી હતી. વર્તમાન સમયમાં તો, હેમચંદ્રાચાર્યરચિત સંસ્કૃત વ્યાકરણ જે ‘લઘુવૃત્તિ' કહેવાય છે તેનો અભ્યાસ કરાય છે. જે છહજાર શ્લોકમાણવાળું વ્યાકરણ છે. સત્ર બધામાં સરખાં હોય પણ તે પરનું વિવરણ વધતું જાય. સંક્ષેપમાં જાણવા માટે છ હજાર શ્લોકપ્રમાણ, વધારે જાણવા બારહજાર, પણ ઊંડાણમાં જવું હોય તો અઢારહજાર શ્લોકપ્રમાણ. આમ ત્રણ પ્રકારનાં વ્યાકરો કલિકાલસર્વજો કંઠસ્થ કરવા માટે બનાવ્યાં. મહારાજશ્રીએ એમાંથી ‘અઢારહજારી કંઠસ્થ કરી. મહારાજ સાહેબને અંગ્રેજીનો પણ લગાવ હતો. તેઓ અંગ્રેજી લખી શકતા. અંગ્રેજી કવિતા લલકારતા. શોખથી તેઓ પોતાનાં પુસ્તકો પર અંગ્રેજીમાં નામ લખતા. પોતાના પુસ્તક પર કેપિટલ N કરતા. આ વ્યાખ્યાનકારે એમના પેન્સિલના અક્ષરો જોયેલા છે. સ્વયંપ્રજ્ઞ પુરુષ કોઈ કહે અને તે વાતમાં જોડાય તેવી ચીજ તેમના જીવનમાં નહોતી. સ્વપ્રજ્ઞાથી તેઓ નિર્ણય લેતા - આગળ વધતા. દીક્ષા પણ એમણે કોઈના કહેવાથી નથી લીધી. સાધુવેશ પોતાની મેળે પહયો છે. આ માણસ કેડી પર ચાલનારો નથી, નવી કેડી પાડનારો છે. અને એમ કરવામાં અને કોઈની જરૂર પણ પડી નથી. જેણે સૂરજ જોયો છે જે ચંદ્ર જેવું અજવાળું પ્રગટાવી શકે છે. પરંતુ જેણે સૂર્ય જોયો જ નથી તેને ચકમકના બે ૫ •/ર પણ ઊજાનો સ્રોત લાગે છે. આમની પ્રતિભા એવી હતી કે તેઓ ક્યારેય કોઈથી બંર યા નથી. મહમદ છેલને પણ એમણે અવળા કાન પકડાવ્યો છે. ત્રણ પાટ પર બેઠેલા જે બજીએ મહમદ છેલને વચ્ચેનો પાટ ખેચી કાઢવા કહ્યું અને કશા પણ ટેકા વિના પોતે હવામાં અદ્ધર રહી શક્યા. આવી યોગસાધના તેમની પાસે અદ્દભુત કોટિની હતી. એમણે સૂર્યને એવા સ્વરૂપે ઉપાસેલા છે. આ ભવમાં એમને સૂર્યનાં દર્શન અલપઝલપ ક્યાંક થયાં હશે, પણ મારું ચોક્કસ અનુમાન છે કે પહેલાંના જે ભવો થયો એમાં પોતાની આ સાધના ચાલુ હતી જ. તે કાલે તે સમયે ? મ-દીક્ષા-ગુર્ગવર્ણન ૧ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126