Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 78
________________ હતો ત્યારે તળાવ છલકાઈ ગયાં હતાં. આ એમની ચારિત્રની શક્તિ. કોઈ ચીજ એમને સંકલ્પિત ન હતી. પણ કુદરત એમને એટલી બધી સાનુકૂળ થઈને રહેતી હતી એના આ બે અનુભવો છે. એક ઉદુનો શેર યાદ આવે છે. ફાનસ બનકર જીસકી ઈફાજત હવા કરે, વો શમા ક્ય બૂઝે જીસે રોશન ખુદા કરે. - સં. ૧૯૭૫ની આ વાત છે. કાપરડાજીની પ્રતિષ્ઠા વખતે અમીચંદજીગુલાબચંદજીએ સૌથી મોટો ફાળો આપ્યો. જયારે પોતે અહીં આવ્યાને મહારાજ સાહેબને વાત કરી કે “આપ પધારો અમારે ઊજમણું કરવું છે. તે વખતે મહારાજ સાહેબે કહ્યું, “અત્યારે તો મારે કામ આ પ્રતિષ્ઠાનું કરવાનું છે. તમારે લાભ લેવો હોય તો તમને આપું.” ગુલાબચંદજીએ કહ્યું કે “સંપૂર્ણ મહોત્સવનો લાભ મને આપો. મારે ઊજમણું કરવું છે તે આજ છે. આપ કહો ને આપ રહો તે જમણું. 'ગુલાબચંદજીનાં વચનો સાંભળી જોધપુરના જાલમચંદજી વકીલ વગેરેએ હૃદયમાં ભાવ કર્યો. મનસુખભાઈએ પણ ૩૦૦૦ રૂ. ટીપમાં લખાવ્યા અને આખોય પ્રતિષ્ઠા મહોત્સવ ગુલાબચંદજીએ તે સ્વરૂપે કરાવ્યો. આ વાત થોડી વિગતે જોઈએ - આ ગુલાબચંદજી પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના પરમભક્ત હતા. તેઓએ ઘણી ઉદારતાથી ઘણાં મોટા કામો કરેલાં. પણ ઉત્તર કાળમાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં પૂજ્ય શ્રી વિચય - ચોમાસાં કર્યા. કામો થયા તે વધારામાં પણ ગુલાબચંદજી-અમીચંદજી સંપર્કમાં ન રહ્યા તેથી તેઓનું નામ પૂજયશ્રીના ભક્તવર્ગમાં જોવા મળતું નથી. બાકી ઘણાં જ મહત્ત્વના કામમાં તેઓ ખડેપગે ઉભાં રહ્યા છે. જે રીતે વિ.સં. ૧૯૭૩માં સિદ્ધગિરિરાજનો સંઘ કાઢવાના ભાવથી આવ્યા હતા અને પૂજ્યશ્રીની ભાવના જેસલમેર જુહારવાની હતી તો પોતે પણ મનને એ રીતે વળાંક આપ્યો અને જેસલમેર તીર્થનો છ'રી પાળતો સંઘ કાઢ્યો. બસ. એવું જ આ બીજી વાર પણ બન્યું. તેઓ આવ્યા હતા પોતાને ગામ શિવગંજમાં સંઘ જે કાઢયો તેના ઉદ્યાનરૂપ પ્રભુજીને મહોત્સવ કરવાની ભાવના હતી અને તેમાં નિશ્રા પ્રદાન કરવા માટે વિનંતિ અર્થે આવ્યા હતા. ત્યાં શ્રી કાપરડાજી તીર્થમાં શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાન આદિ જિનબિંબોની પ્રતિષ્ઠાનો પ્રસંગ આવ્યો. પૂજ્યશ્રી સાથેનો ઋણાનુબંધ હશે. જ્યારે પોતે શિવગંજ પધારવા માટેની વિનંતી કરી રહ્યા હતા ત્યારે શ્રી ચાંદમલજી પાલીવાળા શ્રી પનાલાલજી બિલાડાવાળા પૂજ્યશ્રીને ગળગળા સાદે વિનંતી કરી રહ્યા હતા કે આપ જો ગુજરાત પધારશો તો આ પ્રતિષ્ઠાનું કામ લંબાઈ જશે અને કોણ જાણે ક્યારે અંજળ આવશે. માટે આપ આટલું કાર્ય કરાવી જ લો. આ બધું જાણીને ગુલાબચંદજીએ પણ પૂજ્યશ્રીને વિનંતી કરી કે સાહેબ ! વાત સાચી છે આપ આ કાર્ય પહેલાં કરી લેવા જેવું છે. પૂજયશ્રીએ કહ્યું : જો તમે પ્રતિષ્ઠાનો લાભ લેતા હો તો હું જરૂર વિચાર કરું. ઐતિહાસિક કાર્ચા-૧ : ૫ ૬૫ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126