Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 76
________________ આ બાજુ ગુલાબચંદજીના પિતાજીએ તેમને કહ્યું હતું કે “બેટા, એક વખત ગિરિરાજનો સંઘ કાઢજે.” એક બાજુ પિતાજીની ઈચ્છા ને બીજી બાજુ મહારાજશ્રીની વાત. બેમાંથી એકેય શી રીતે ટળાય ? છેવટે વચલો રસ્તો કાઢ્યો. પોતે ગિરિરાજની યાત્રા કરવા ગયા. ત્યાં દાદાના ભંડારમાં રોકડા પાંચ હજાર રૂપિયા મૂકીને દાદાની ક્ષમા માંગી. અને ‘આ યાત્રા અમારા સકળ સંઘ વતી સ્વીકારી લેજો. આપના જ સંઘના એક સુવિહિતશ્રેણિ પુરીણ એવા પુરુષની નિશ્રામાં સંઘ કાઢવા અમે જઈએ છીએ.” એમ કહી મહારાજ સાહેબ પાસે આવ્યા. મૂહરત લીધું. જેસલમેરનો સંઘ નક્કી થયો. મહારાજ સાહેબ સાદડીથી શિવગંજ પધાયાં. ગામની બહાર રહીને પ્રભુજીનો મહોત્સવ કયો. તે પછી સંઘપ્રયાણ થયું. વરસાદ - બે અનુભવો : ફલોધી પછીનાં ગામો એટલાં કપરાં છે કે આજે પણ ત્યાં થોડી તકલીફો તો છે જ. અગાઉ જે રેતીના દળ અને ભરાંટિયાં હતાં તે તો હવે નથી, લશ્કરને કારણે ડામરના રસ્તા બની ગયા છે. પણ પાણીનો પ્રશ્ન તો હજુ એવો ને એવો જ છે. ત્યાં ગામડાના નાના સમુદાયને ઢાઢી કહે છે. આવી એક ઢાઢી વાસણા નામે સંઘના રસ્તામાં આવી. ત્યાંના સ્થાનિક લોકો કહેવા આવ્યા કે જે ૨૦૦-૩૦૦ સંઘના માણસ આવવાના છે તે અમારા ગામમાં નહિ ઊતરે. સંઘપતિને ખબર પડી કે અહીના લોકો ગામમાં પ્રવેશવાની ના પાડે છે. વાત મહારાજ સાહેબ પાસે પહોચી. ત્યારે મહારાજ સાહેબે કહ્યું, “આપણે પાછળ પંદર માઈલ ચાલીને આવ્યા છીએ. હવે આગળ ન જવાય. સંઘમાં એટલી ધીરજ નહિ રહે. સમય પણ થઈ ગયો છે. અહીંયાં જ રહીએ. તકલીફ શી છે? ગામવાળા ના શા માટે પાડે છે તો કહે, “અમારે પાણીની ખૂબ જ તંગી છે. તમારા જેવા ર00 માણસ ગામમાં આવે તો અમારે બે મહિનાનું પાણી એક જ દિવસમાં સફાચટ થઈ જાય.” ત્યારે મહારાજ સાહેબ કહે, “જો તેમને પાણી મળી જાય તો તકલીફ નથીને!” ના, પછી એમને તકલીફ નથી.' ‘તો એમને કહો કે બધું સારું થશે.” ગુલાબચંદજીને મહારાજ સાહેબ ઉપર અપાર શ્રદ્ધા હોવાથી કશી દલીલ કયા વગર ગામવાળા પાસે જઈને કહે, “તમે ફિકર ન કરો બધું સારું થશે અમને ઊતરવા દો. અમારા સંત મહાત્માએ આમ કહ્યું છે.' આ સાંભળી ગામવાળાઓએ બધી વ્યવસ્થા કરી દીધી. સંઘવાળા ઉતારામાં તય. એકાસણું થઈ ગયું અને બપોરે અઢી વાગે એક સામટું બે ઈંચ પાણી પડી ગયું. તે વખતે ચૈત્ર મહિનો હતો. વરસાદની કોઈ શક્યતા અને સંભાવના નહીં. છતાં આજુબાજુના તળાવો છલકાઈ ગયાં. સાંજે આખું ગામ કહેવા આવ્યું કે, “બાપજી, હજુ આવતીકાલ રોકાઈ જજો.” સવારે જે ના પાડતા હતા, સાંજે તે જ લોકો રોકાઈ જવા આગ્રહ કરતા હતા. આ વાત બિલકુલ સત્ય છે. આ એવી કોટીના પુરુષ હતા કે “મંત્ર ફળે જશ વધે, દેવ કરે સાન્નિધ્ય” બ્રહ્મચર્યની તાકાત શી છે એનું વર્ણન કરતાં કલિકાલ સવશે' આ વાત કરી છે. એ બોલે એ મંત્ર ફળે. આ શક્તિ એમની પાસે કુદરતી હતી. સાધક અને બાધક એમ બન્ને પ્રકારની હતી. જે ઈચ્છિત હોય તે થઈને જ રહે. ઐતિહાસિક કાર્યો-૧ : ૫ ઉ3 For Private & Personal Use Only Jain Education International 2010_02 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126