Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 105
________________ વિધિકારકોની આચારસંહિતા: ઉદયસૂરિ મહારાજે આ બધા વિધિકારકોને શિખા રાખવા, સંપૂર્ણ રાત્રિભોજન ત્યાગ કરવા, પયુષણ વગેરેમાં પૂર્ણ બ્રહ્મચર્ય પાળવા અંગેની એક આચારસંહિતા વ્યવસ્થિત કરીને આપી. કોઈ વિધિવિધાન હોય તો આગળના દિવસોમાં તેઓ એની ચર્ચા કરતા. દેવીપૂજન કરવું જ જોઈએ એવો ઉદયસૂરિ મહારાજનો આગ્રહ રહેતો. આજે તો પોતાની મેળે બની બેઠેલા કેટલાયે વિધિકારકો કોઈ અધિષ્ઠાયક દેવ કે દેવીની પ્રતિષ્ઠા વખતે, અગાઉ દેવીપૂજન કર્યા વિના જ એમને પધરાવી દે છે. પણ તે યોગ્ય નથી. જે દેવને પ્રતિષ્ઠિત કરવાના હોય તે દેવને સમાંતર બધા દેવને બોલાવીને, તેમને યોગ્ય આહુતિ આપીને, તેમને પ્રિય એવાં વસ્ત્રો અર્પણ કરીને પછી જ એમને બિરાજમાન કરવાના. દેવ-દેવી પ્રત્યેના આવા આદર અને બહુમાનને કારણે દેરાસરોમાં ઉજાસ દેખાય છે. મહારાજ સાહેબનો પ્રભાવ જ એવો કે માત્ર દષ્ટિપાત જે બિંબો ઉપર થયો છે એવાં બિંબો જે-જે ગામોમાં ગયાં છે ત્યાં આબાદી અને જાહોજલાલી આજે પણ જોવા મળે છે. વિધિવિધાનપૂર્વક થયેલા પ્રતિમા–અંજનનો પ્રભાવ: દોલતનગર, બોરીવલીમાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. દોલતનગરની સ્થાપના થઈ સં. ૨૦૧૦માં. તે પછી તેની ઉત્તરોત્તર આબાદી થઈ છે. ત્યાંનો રહેવાસી સિંધી હોય તો પણ શંખેશ્વર પાર્શ્વનાથનાં દર્શન કરીને જ કામે જાય છે. આ પ્રભાવ અંગે અમૃતસૂરિજી મહારાજ કહેતા હતા કે શાસનસમ્રાટશ્રીએ એ જિનબિંબનું અંજન કરેલું છે. વ્યક્તિ ચાલી જાય છે, શક્તિ ચિરકાળ જયવંતી વર્તે છે. આપણે ઘણી વાર વ્યક્તિની પાછળ પડીએ છીએ, પણ ના, વ્યક્તિએ પોતાની શક્તિ આવી રીતે ક્યાંક સ્થાપન કરેલી હોય છે, અને એ શક્તિ સ્વયંસર્જન કરતી હોય છે, એ જાગ્રત બનેલી હોય છે. કદંબગિરિમાં ૧૯૮૯માં જે દિવસે અંજનશલાકા હતી એ રાત્રે તોફાન થયું. આ એક જ વખત - પહેલી કે છેલ્લી વખત મહારાજ સાહેબની નિશ્રામાં થતાં કામોમાં આવેલું વિન છે અને તે પણ શ્રી નમિનાથ પ્રભુના ધ્યાનથી દૂર થયું હતું. એ પછી કોઈપણ મહોત્સવ - નાનો કે મોટો – વિના વિને ઠાઠમાઠથી પાર પડ્યો છે. - રોહીશાળાના મહોત્સવ વેળાએ ખાંડ મળતી નહોતી. હજારો માણસોને જમાડવા શી રીતે? ત્યારે માત્ર સામાન્ય બુદ્ધિના બળથી એ પ્રશ્ન સહેલાઈથી ઉકલ્યો હતો. ખાંડ પર પ્રતિબંધ છે પણ સાકર તો મળે છે ને ! તો સાકર લઈ આવો.' કદંબગિરિની પ્રતિષ્ઠાનો જ એક પ્રસંગ છે. મોટા મંડપો બાંધ્યા છે. ઘણું માણસ આવી રહ્યું છે. ફાગણ મહિનો. ઉનાળાના દિવસો. પાણી વગર ચાલે નહિ. રસોઈમાં, પીવામાં, નહાવા-ધોવામાં, ઉપયોગ માટે પાણી તો જોઈએ. તો આટલું બધું પાણી લાવવું ક્યાંથી ? સાવ પથરાળ ને ડુંગરાળ પ્રદેશ. રસ્તામાં આવતા એક વોકળા પાસેની નાની વાવ, એ આખાયે મહોત્સવ દરમિયાન એ વાવનું પાણી જ કામ લાગ્યું. કદી પણ ખૂટ્યું જ નહિ. - પૂજ્યપાદ નંદનસૂરિજી મહારાજે કદમ્બગિરિનું સ્તોત્ર બનાવ્યું છે એમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. એક શ્લોકમાં આ વાવને ખાસ નોધી છે. વાવને ધન્ય ગણી છે અને એને માટે પુળ્યા વાપી એવો શબ્દ વાપર્યો છે. એ વાવમાંથી મહોત્સવ ટાણે બાર દિવસ સુધી પાણી વપરાયું હતું. શાસનસમ્રાટ પ્રવચનમાળા ૯૨ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126