Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 110
________________ પ્રવઠા અજોડ વ્યક્તિત્વ (તા. ૧૫-૧૧-૯૮). આપણા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને મન, વચન અને કાયાથી જેઓ સમર્પિત થાય છે તેઓના જીવનમાં કેવું તેજ, બળ અને અત્યંતર ઐશ્વર્ય પ્રગટે છે એનાં નજીકમાં થઈ ગયેલાં ઉદાહરણોમાં પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીનું ઉદાહરણ મોખરે છે. જે આપણે જોઈ રહ્યા છીએ. જગર હીરવિજયસૂરીશ્વરજી મહારાજ, વિજયસેનસૂરીશ્વરજી મહારાજ, વિજયસિંહસૂરિ મહારાજ વગેરે પુણ્યવંત હતા. પણ તે પછીનો એક ગાળો એવો આવ્યો કે અત્યારે લગભગ જેવું અંધારું છવાઈ ગયું છે તેના કરતાંયે વધુ ગાઢ અંધારું તે વખતે છવાયેલું હતું. કેટલાયે ધર્મપ્રેમી, શાસનરાગી આત્માઓ ચિંતા કરતા હતા અને જયારે તેમનું પ્રભાવક વ્યક્તિત્વ જાણવામાં આવ્યું ત્યારે બધા તેમનાં ચરણોમાં ગયા. કોઈએ એમની આચાર્યપદવીનો વિરોધ તો નથી જ કર્યો પણ સામે ચાલીને, આ કામ તમારી પાસે જ થાય એમ સાધુ ભગવંતોએ ભલામણ કરી છે. આ બધાના મૂળમાં ક્યાં તત્ત્વો છે તે આપણે યથાશક્તિ અને યથામતિ વીતેલા સાત દિવસોમાં તપાસતા આવ્યા છીએ. અજૉડ વ્યકિતત્વ : ૮ CO Jain Education International 2010 02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126