SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવઠા અજોડ વ્યક્તિત્વ (તા. ૧૫-૧૧-૯૮). આપણા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને મન, વચન અને કાયાથી જેઓ સમર્પિત થાય છે તેઓના જીવનમાં કેવું તેજ, બળ અને અત્યંતર ઐશ્વર્ય પ્રગટે છે એનાં નજીકમાં થઈ ગયેલાં ઉદાહરણોમાં પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીનું ઉદાહરણ મોખરે છે. જે આપણે જોઈ રહ્યા છીએ. જગર હીરવિજયસૂરીશ્વરજી મહારાજ, વિજયસેનસૂરીશ્વરજી મહારાજ, વિજયસિંહસૂરિ મહારાજ વગેરે પુણ્યવંત હતા. પણ તે પછીનો એક ગાળો એવો આવ્યો કે અત્યારે લગભગ જેવું અંધારું છવાઈ ગયું છે તેના કરતાંયે વધુ ગાઢ અંધારું તે વખતે છવાયેલું હતું. કેટલાયે ધર્મપ્રેમી, શાસનરાગી આત્માઓ ચિંતા કરતા હતા અને જયારે તેમનું પ્રભાવક વ્યક્તિત્વ જાણવામાં આવ્યું ત્યારે બધા તેમનાં ચરણોમાં ગયા. કોઈએ એમની આચાર્યપદવીનો વિરોધ તો નથી જ કર્યો પણ સામે ચાલીને, આ કામ તમારી પાસે જ થાય એમ સાધુ ભગવંતોએ ભલામણ કરી છે. આ બધાના મૂળમાં ક્યાં તત્ત્વો છે તે આપણે યથાશક્તિ અને યથામતિ વીતેલા સાત દિવસોમાં તપાસતા આવ્યા છીએ. અજૉડ વ્યકિતત્વ : ૮ CO Jain Education International 2010 02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004571
Book TitleShasansamrat Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy