________________
વિધિવિધાન કરાવો છો.” અને બધી જ વિધિ પ્રેમસૂરીશ્વરજી મહારાજના વિશાળ સમુદાયની ઉપસ્થિતિમાં ઉદયસૂરિ મહારાજે કરાવી. એ સમુદાયના સૌ બારીકાઈથી તુલના કરતા ગયા. એમને જણાયું કે દીક્ષા નિમિત્તેની ઘણી ક્રિયાઓ તો પોતાના સમુદાયમાં કરાવાતી જ નહોતી. તેઓ એટલા બધા પ્રભાવિત થઈ ગયા અને તેમને લાગ્યું કે ખરેખર, આજે કોઈ વિધિ થઈ રહી છે. એક નાની દીક્ષામાંથી વડી દીક્ષામાં મહાવ્રતોનું વિધિપુરઃસર થતું આરોપણ આજે તેમણે નિહાળ્યું.
આવી કક્ષાના માણસો જ્યારે આ ચીજનો મહિમા સમજી શકે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ બધી વિધિઓને સાચવી રાખવી એ કેટલી જરૂરી છે ! શુદ્ધ વિધિવિધાનપૂર્વક પ્રતિષ્ઠા-મહોત્સવ થાય, યોગ્ય મુહૂર્ત નીકળે, યોગ્ય નિશ્રા સાંપડે – એ બધાનો જ્યાં મેળ પડે છે ત્યાં વર્ષો સુધી આનંદમંગળ પ્રવર્તે છે.
આ રીતે મહારાજ સાહેબ પોતાના જીવનમાં અનેક પરંપરાઓને પુનઃજીવિત કરીને આપણા સુધી એનો તંતુ લંબાવતા ગયા છે. આવી જ બીજી કેટલીય વાતો આપણે આગળ ઉપર જોઈશું. અગ્રે અધિકાર..
શાસનસમ્રાટ પ્રવચનમાળા ૯૬
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org