Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 81
________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ૬૮ નથી. પછી એને છોડી મૂક્યો. મહારાજ સાહેબે એને કહ્યું કે તું રાજકોટ જઈને આ વાત કરી આવ કે મારી સાથે આ પ્રકારે ગુનો થયો છે. બીજી બાજુ માનસિંહે ભાયચંદની પાછળ ચોકીપહેરો મૂકેલો કે તે પાલિતાણા છોડીને બહાર ન જાય. Jain Education International 2010_02 તેને બહાર મોકલવા માટે મહારાજ સાહેબે વ્યવસ્થા કરી આપી. રોજિંદા ક્રમ મુજબ એક દિવસ ભાયચંદ, મહારાજ સાહેબને મળવા ઉપાશ્રયમાં આવ્યો. બહાર દરબારના માણસો ઊભા હતા. પણ અહીં અમદાવાદથી મનસુખભાઈની મોટર બોલાવેલી, અને પાછલા બારણે મૂકી રાખેલી. ત્યાં ભાયચંદને પાછળ નીસરણી મૂકીને ઉતાયો અને મોટરમાં સીધો સોનગઢ ભેગો કરી દીધો. કસ્તુરભાઈ નગરશેઠ ઉદ્બોધન કરે છે. આ બાજુ દરબારના માણસો રાહ જોઈને થાક્યા બાદ સીધા ઉપાશ્રયમાં દાખલ થયા ને ભાયચંદ અંગે પૂછવા લાગ્યા. મહારાજ સાહેબ કહે, ‘આવ્યો હતો. પણ વંદન કરીને ક્યાં ગયો તેની ખબર નથી.' પેલા માણસોએ માનસિંહને બધી વાત કરી. તેને ફફડાટ થઈ ગયો. તેને થયું કે ચોક્કસ ત્યાં જ ગયો હશે અને હવે મારી વાત કરશે. ખરેખર ભાયચંદ રાજકોટ પહોંચી પણ ગયેલો. માનસિંહ પાછળને પાછળ રાજકોટ પહોચવા નીકળ્યો. પણ ગાડી ચૂકી ગયો. દસ મિનિટ પહેલાં જ સોનગઢથી ગાડી ઉપડી ગઈ હતી. તે પાછો ફર્યો ત્યાં નામદાર કોર્ટ તરફથી વોરંટ આવ્યું કે તમે અમુક ગુનો કર્યો છે. તરત હાજર થઈ જાઓ. અને સમાધાન કરવું હોય તો શિમલા આવો. વાઈસરોય તે વખતે ત્યાં હતો. માનસિંહને ગયા વગર છૂટકો જ ન હતો. તીથધામમાં તેણે કરેલાં ભયંકર પાપ બહાર આવી રહ્યાં હતાં. તે ગાડીમાં શિમલા જવા બેઠો. પણ રસ્તામાં હૃદયરોગનો હુમલો થવાથી ગુજરી ગયો. અત્યુપ્રમુખ્યપાપાનામિદેવ તમનુતે । આ વાત સં. ૧૯૬૧ની છે. અને મહારાજ સાહેબે તીર્થરક્ષા માટે કરેલા આ પ્રયત્નો છે. પ્રભાવક પુરુષોનું આ કાર્ય છે. પ્રયત્નો કરવા પડે છે ને મહારાજ સાહેબે આ બધા પ્રયત્નો કર્યા છે. આવાં તો કેટલાંક પ્રકરણો છે જે જાહેર થયાં નથી. તીથોની અંદર કોઈ માણસ પાંચ-પચીસ લાખ ખર્ચે તોપણ આની તોલે આવે એવી ચીજ નથી. મહારાજ સાહેબનું નેતૃત્વ શું હતું અને તેમનું હીર કેવું હતું તે તેઓ કેવાં વિચક્ષણ હતા. આ ઘટના પરથી ખબર પડે છે. ૧૯૯૦નું સંમેલન ઃ હવે ૧૯૯૦ના સંમેલનની મૂળ વાત કરવી છે. મહારાજ સાહેબનું આખું જીવન એક ઇતિહાસ છે. ઇતિહાસ એને કહેવાય કે વર્ષો સુધી, સદીઓ સુધી તે પ્રસંગોની ઉપરવટ પ્રસંગ ન બને. માકુભાઈનો સંઘ, કાપરડાની પ્રતિષ્ઠા રાણકપુરની For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126