Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 87
________________ શાસનસમ્રાટ બન{{ળા ୨୪ એવો ભાવ મનમાં તો ખરોજ. વિચારમાં ભલે મતભેદ પણ મનમાં લાગણી તો ખરી જ. તે વખતે બધાની વચ્ચે મહારાજ સાહેબ અડધા વાંકા વળી વિદ્યાવિજયજીને કહે છે, ‘તુ તો મારો ભત્રીજો કહેવાય. પણ યાદ રાખજે કે તને કે મને મહાવીરસ્વામી કહેવા નહોતા આવ્યા કે દીક્ષા લઈ લે. જે દિવસે આના ગ્રન્થ પરની શ્રદ્ધા ઊઠી જાયને તે દિવસે આના નામે ચરી ખાવાનો આપણને અધિકાર નથી.' આ શબ્દો ભરી સભા વચ્ચે મહારાજ સાહેબે વિદ્યાવિજયજીને કહ્યા. શાસનનો રાગ હૃદયમાં કેવો એકમેક થઈ ગયો હશે ! જેમ તીર્થભક્તિની વાત આપણે ચાણસ્માના પ્રસંગમાં જોઈ એવો બીજો મહત્ત્વનો ઉદ્ગાર આ છે. બધા લોકો સ્તબ્ધ બની ગયા. વિદ્યાવિજયજી મહારાજ પણ પરમ વિનયી હતા. આવી સ્થિતિમાં મહારાજ સાહેબે કરેલાં વચનો સહજતાથી સ્વીકાર્યાં. એક હરફ પણ સામે ન બોલ્યા. અને જ્યારે સભાનું સમાપન થયું ત્યારે મહારાજ સાહેબનાં ચરણોમાં મસ્તક મૂકી એમણે ક્ષમાપના માંગી. વાત સત્ય પણ હતી. તે વખતે મહારાજ સાહેબે ‘આ મારા પક્ષનો છે, માટે છાવરું' તેવું બિલકુલ નથી આચર્યું. જો એ કેવળ પક્ષના માણસ બન્યા હોત તો એ વખતે એમનો બચાવ જ કર્યો હોત. મથામણના અંતે સમેલનના વહાણને સલુકાઈથી કાંઠા પર લઈ જવા માટે સૌથી વધુ મહેનત મહારાજ સાહેબને કરવી પડી છે. આ બધા તો એમાં સહાયક બળો હતા. સાગરજી મહારાજ પણ પૂર્ણ સહયોગી. કલાકો સુધી ચર્ચા કરવામાં તેઓ આગળ પડતા. લાવણ્યસૂરિ મહારાજનો પણ એટલો જ મોટો ફાળો. પણ તેઓ માત્ર ૬૦ની વયે ચાલ્યા ગયા. સત્કાર્યોની સફળતામાં સદ્બુદ્ધિ, આરોગ્ય, આયુષ્ય વગેરે પરિબળોની જરૂર પડે છે. બાકી તો તેઓ ઘણા બાહોશ હતા. સમાનઃ અંતે સમેલન પૂર્ણ થયું. ઠરાવો પસાર થયા. એની નકલો છપાવવામાં આવી. સમાપન-ભાષણ કસ્તૂરભાઈ મણિભાઈએ કર્યું. તે ભાષણ દરમ્યાન જ લેવાયેલા નિર્ણયોની વધામણી આપવામાં આવી. દેવવંદન ઃ તે પછી સંમેલનના બધા સાધુ ભગવંતો દેવવંદન માટે ડહેલાના ઉપાશ્રયે ગયા. ત્યારે રામવિજયજી મહારાજના ગુરુ સુરેન્દ્રવિજયજી મહારાજ અને તેમના ગુરુ જે ધવિજયજી મહારાજ તે કાળધર્મ પામી ગયા હતા. આટલા બધા સાધુઓ કોઈના દેવવંદનમાં કદી જોવા ન મળે. આ તો યોગાનુયોગ હતો એટલે આમ બન્યું. ન Jain Education International 2010_02 સંમેલન દ૨૨ોજ સવારે ૧૦ વાગ્યે શરૂ થતું ને સાંજે ચારપાંચ વાગે પૂરું થતું. તે વખતે મંગલાચરણ કરવામાં આવતું. સંવત ૧૯૯૦નું આ મુનિસંમેલન એ જૈન શાસનના એક ઐતિહાસિક ઘટના બની રહી. આવા જ બીજા પ્રસંગો પણ બન્યા છે તે આપણે આગળ ઉપર જોઈશું. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126