Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 75
________________ છે, કોઈને માત્ર મોર મળે, કોઈને ફૂલ મળે તો કોઈને ફળ મળે. માટે જે મળ્યું છે તેનો આદર કરવો, ન મળ્યું તેની આશા ન કરવી. ' આ એક સામાન્ય વચન છે. પણ એ વચનના અપવાદ હોય છે. અને એ અપવાદસ્વરૂપ વ્યક્તિ આપણને પ્રભુજીના શાસનમાં વર્તમાનમાં દેખાતી હોય તો તે પૂજ્યપાદ મોટા મહારાજ સાહેબ છે. એમને બધું જ મળ્યું હતું. ભલભલાને ઈર્ષ્યા આવે તેવું મળ્યું હતું. એકવાર સાગરજી મહારાજ વિ.સં. ૧૯૯૯માં પાલિતાણામાં મોદીના બંગલામાં મોટા મહારાજશ્રીને મળવા આવ્યા ત્યારે મોટા મહારાજના મુખમાંથી સ્વાભાવિક એવો ઉદ્દગાર નીકળી ગયો કે, જુઓને ક્યાં કામ જ થાય છે, આપણું પણ પુણ્ય ઓછું પડે છે.' ત્યારે સાગરજી મહારાજ કહે છે “તમારા જેવા પુણ્યશાળી કોઈ નથી. આ ઉદયસૂરિ અને નંદનસૂરિ જેવા શિષ્યો કોઈની પાસે નથી.” બીજાને ઈર્ષ્યા આવે તેવી સંપત્તિ તેમની પાસે હતી. શિષ્યો તો ખરા જ, પણ સંપૂર્ણ સમર્પણ કરનારા ભક્તો પણ તેમને મળ્યા છે. મહારાજ સાહેબ ક્યારેય પણ સામેથી ભક્તો બનાવવા ગયા નથી. માણેકલાલ જેઠાલાલથી માંડીને લીબડી દરબાર અને વળા દરબાર જેવા ઉચ્ચ કક્ષાના ભક્તો આવે કે સામાન્ય શ્રાવક આવે, મહારાજ સાહેબ દરેકને સમાન દષ્ટિથી જોતા. આટલી નિઃસ્પૃહતા તેમની પાસે હતી માટે જ લોકો એમની પાસેથી સામેથી ખેંચાઈને આવતા હતા. આ એમનું વ્યક્તિત્ત્વ. - અમદાવાદ શાહપુરના ચંદુલાલ બુલાખીદાસે પોતાની તમામ સંપત્તિ, ઘરેણાં, ઘર, ખેતર બધું જ મહારાજ સાહેબને શાસન માટે અર્પણ કર્યું હતું. આવા ભક્તો હતા જેમ શિષ્યો-ભક્તો મળ્યા તેમ સહાયક બળ તરીકે જયાંગયો ત્યાં સામેથી બધું જોઈતું મળ્યું છે. ગુલાબચંદજી અને જેસલમેરનો સંધ: - રાજસ્થાન - શિવગંજ - પાલડીના ગુલાબચંદજી નામના એક સગૃહસ્થે મોટા મહારાજશ્રીની નિશ્રામાં સિદ્ધગિરિનો સંઘ કાઢવાની ઈચ્છા પ્રગટ કરી. મહારાજ સાહેબે કહ્યું, ‘અમારે તો જેસલમેર તરફ જવું છે.” હવે જુઓ કે શ્રાવકો કેવા હોવા જોઈએ. જે બાજુ ગુરુ મહારાજ વાળે તે બાજુ શ્રાવકો વળાંક લે, પણ પોતાની ઈચ્છા મુજબ, પોતાનાં ધારેલાં કામ કરાવવા મહારાજ સાહેબને તેમની દિશામાં વાળે તેવા નહિ, પણ એના તરફ પોતે વળે તેવા. આ વાત સં. ૧૯૭૩ની. ત્યારે આવી રીતના સંઘો બહુ સાંભળવા મળતા નહિ. છતાં મહારાજ સાહેબનું લક્ષ્ય માત્ર સંઘ ન હતું. એ સૌથી અગત્યની વાત છે. એમનું નિશાન કર્યું હતું? એ શું તાકીને બેઠા હતા ? આવાં નાનકડાં, લોભામણાં, ક્ષણિક ચમકારા જેવા શાસન - પ્રભાવનાનાં કામોમાં તેમને રસ ન હતો. થાય તો ભલે. તેનો આવકાર હતો. પણ એને માટે થઈને કશુંક જતું કરવા પોતે તૈયાર ન હતા. એમણે ગુલાબચંદજીને કહ્યું, ‘તારે સંઘ કાઢવો જ હોય તો જેસલમેરજીનો કાઢ. એ બાજુના પ્રદેશમાં જવાની ગણતરી છે. ” બીજે જ દિવસે ગુલાબચંદજીએ કહ્યું, સાહેબજી, આપની વાત સાચી છે. ભલે, જેસલમેર જઈશું. પણ નિશ્રા તો આપની જ સ્વીકારવી છે.' શાસનસમ્રાટ પ્રવચનમાળા ૬૨ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126