Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 19
________________ મિત્ર અને ત્યાં સ્થાનિકમાં અમરચંદ જશરાજ. અમરચંદ જશરાજ એ પરમપુજય વદ્ધિચંદ્રજી મહારાજના પરમ ગુણાનુરાગી શ્રાવક અને એમના ઉપાસક. (આજે પણ એમના દીકરાના દીકરા નિરંજનભાઈ ત્યાં છે. પાલિતાણામાં અમરચંદ જશરાજની મેડી તેમણે બનાવેલી છે.) ભાવસિંહજી વખતે અમરચંદ શરાજનું આગવું સ્થાન હતું. ત્યાંના શ્રેષ્ઠીઓમાં પણ એમનું સ્થાન પહેલી હરોળમાં હતું. આવા એ પુરુષને ઘેર જ નેમચંદને જમવા-રહેવા વગેરેની વ્યવસ્થા હતી. ત્યાં રહીને એમનો અભ્યાસ એટલો ઝડપથી ચાલ્યો કે પેલા શાસ્ત્રીને એમ કહેવું પડ્યું કે “આણે તો બે વર્ષમાં મને આખો ને આખો ઓળંગી દીધો.” આ દર્શાવે છે કે એમની ગ્રહણ કરવાની તત્પરતા અને ત્વરિતતા કેવી હશે ! અભ્યાસ આ અભ્યાસ ચાલુ હતો એ ગાળામાં જ એક સવારના પહોરમાં પથારીમાં સૂતાં સૂતાં એમના મનમાં વિચાર ઝબકે છે, “મનુષ્યભવની સાર્થકતા શેમાં છે ?? કેટલો સુંદર વિચાર છે ! આપણા મનમાં આવો કોઈ વિચાર આવે છે ? હા, અન્ય પદાથો વિશે તો મનમાં ઘણા વિચાર આવે છે. “કયું કપડું આપણને શોભશે? કયા ઓરડાનો કેવો ઉપયોગ કરીશું? શિયાળામાં શું વાપરવું જોઈશે ? વગેરે બધી જ સામાન્ય કહી શકાય તેવી બાબતોમાં આપણી બુદ્ધિ બહુ સતેજ હોય છે. પણ સૌથી અગત્યની વાત - જીવનની સાર્થક્તા શેમાં? - એ અંગે આપણે ક્યારેય વિચાર્યું જ નથી. લોકોને પૂછીએ કે “જીવનની સાર્થકતા શેમાં એના ઉત્તરમાં અંદરનો અવાજ આવવો જોઈએ. ઉછીનો – ઉધાર નહિ. બાકી, ગોખેલા શબ્દો તો આપણને બહુ જ યાદ રહી ગયા છે અને ફટફટ એ બોલી પણ જઈએ છીએ, પરંતુ આપણો અંદરનો પોતીકો શબ્દ, આપણા મનની કોઢમાં ઘડાયેલો શબ્દ એ આપણી પાસે નથી હોતો. આ પ્રશ્નનો ઉત્તર શોધવામાં આપણને તો દિવસો, મહિનાઓ, લાંબો કાળ વીતી જાય, જો ઉત્તર સાચો જ આપવાનો હોય તો. સંયમજીવન પ્રત્યેની અભિમુખતા પણ નેમચંદને સૂતાં સૂતાં જ ઝબકારો થઈ ગયો કે “સંયમજીવનમાં જ મનુષ્યજીવનની સાર્થકતા છે. યાદ રહે કે ત્યારે તેઓ કોઈપણ પ્રકારની ઉપદેશશ્રવણની અવસ્થામાં નથી. પૂજ્યપાદ શાંતમૂર્તિ વૃદ્ધિચંદ્રજી મહારાજ એક રીતે એવા નિ:સ્પૃહ પુરુષ હતા કે તેમણે પોતાની પાસે આવેલા આ બાળકને ભણાવવા સિવાય બીજો રસ લીધો નથી. આ બાળકે જ્યારે અહીં આવીને વંદના કરી ત્યારે મહારાજે એટલું જ પૂછેલું, ભાઈ ક્યાંથી આવે છે ?' બાળકે કહેલું, “મહુવામાં લક્ષ્મીચંદભાઈ છે તેમનો હું દીકરો છું. અહીં ભણવા માટે મારા પિતાજીએ મને આપની પાસે મોકલ્યો છે. તો મહારાજશ્રી કહે, “સારુ, અહીંયાં તારી બધી વ્યવસ્થા થઈ જશે. તું તારી રીતે ભણજે. અમારા એક સાધુમહારાજ છે રતવિજયજી, એ તને ભણાવશે. અને બીજા નંબરે એક શાસ્ત્રી છે. સારા છે. એ પણ તને ભણાવશે.” વૃદ્ધિચંદજી મહારાજે આ વ્યવસ્થા કરી એ સિવાયનો અક્ષર પણ કહ્યો નથી. આ એમને પક્ષે કેવી નિઃસ્પૃહતા ! અને “મનુષ્યજીવનની સાર્થકતા સંયમમાં છે એ નેમચંદને પક્ષે કેવો અંદરનો અવાજ ! શાસનસમ્રાટ પ્રવચનમાળા Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126