Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 50
________________ આવ્યો કે એની પણ કશીક યાદ રહેવી જોઈએ. ચાણસ્માની વિદ્યાવાડીમાં યાત્રીઓ ઊતરી શકે તે માટે નારણ સુંદરજીની સ્મૃતિમાં શાંતિ હોલ બનાવ્યો. આ જાણીએ ત્યારે થાય કે એમનું હૃદય શું હતું ! સમુદ્ર તો ખાબોચિયું જ લાગે ! આચાર્યપદ અને ભટ્ટારકપદ : આચાર્યપદવી એ ગચ્છનાયક માટેની યોગ્યતાના મુખ્ય ત્રણ માપદંડો છે અને એ હોવા ખૂબ જરૂરી છે. આપણે ત્યાં પહેલાં ભટ્ટારકપદ આપવામાં આવતું હતું. આચાર્યપદ પછી ભટ્ટારક પદ અપાતું. ભટ્ટારક એટલે સમુદાયનો વડો. અત્યારે જે અર્થમાં ‘ગચ્છાધિપતિ’ શબ્દ વપરાય છે તે પહેલાં વપરાતો ન હતો. એ તો સમગ્ર તપાગચ્છના જે મુખ્ય હોય તેમને માટે વપરાય. જેમ કે જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજી મહારાજ જેવા. પણ પોતાના સમુદાયના મુખ્ય હોય તેને ભટ્ટારક કહેતા. એ પદવી અલગ હતી. એ પદવી-પ્રદાન વખતે દ્વાદશાવર્ત વંદન કરવામાં આવતું હતું. આચાર્યપદવીમાં આ દ્વાદશાવર્તવંદન કરાતું નહીં. આ યોગ્યતા જ્યારે કરવાની હોય ત્યારે ત્રણ લક્ષણો જોવામાં આવતાં હતાં. ૧. શીલ, ર. સત્યભાષકત્વ, ૩. બહુઆય. ૧. તે સંપૂર્ણ શીલયુક્ત હોવા જોઈએ. ૨. તે સંપૂર્ણતઃ સૂત્ર પ્રમાણે બોલનારા હોવા જોઈએ. ઉત્સૂત્રભાષકતાનો દોષ તેમનામાં બિલકુલ ન ચાલે. ૩. અને તે દીર્ઘાયુષી હોવા જોઈએ. આ ત્રણ લક્ષણ જેમનામાં હોય તે જ આ પદે આરૂઢ થઈ શકે. શ્રી ગંભીરવિજયજી મહારાજ સાહેબ : શ્રી ગંભીરવિજયજી મહારાજે આ ચીજો – યોગ્યતા તેમનામાં જોઈ. જુઓ કે ચારેબાજુનું વાતાવરણ પણ ત્યારે કેવું સાનુકૂળ છે. ગાંધીજી, ટાગોર, લાલા લજપતરાય, દયાનંદ સરસ્વતી જેવા મોખરાના માણસો તે તે ક્ષેત્રમાં તે સમયમાં થયા છે. એ જ સમયમાં પૂજ્યપાદ મહારાજશ્રી જૈન શાસનને અહીં મળ્યા છે. ૧૯૬૪માં એમને આચાર્યપદવી અપાઈ. તે પછી માત્ર પાંચ વર્ષે સં. ૧૯૬૯માં ગંભીરવિજયજી મહારાજનો કાળધર્મ થયો. શ્રી ગંભીરવિજયજી મહારાજની મહાનતાની કોઈ સીમા ન હતી. પોતે ગ્વાલિયરના બ્રાહ્મણ. જન્મ ૧૯૦૦માં. ૧૯૨૪માં યતિની દીક્ષા લીધી. તે પછી ૧૯૩૧માં મૂલચંદજી મહારાજ પાસે દીક્ષા લીધી અને વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય બન્યા. તે પછી જ્ઞાનસંપાદનની લગની લાગી. બ્રાહ્મણ તરીકે વિદ્યા તો લોહીમાં હતી એટલે પૂજા અને સ્તવનોની રચના કરી. ‘શાન્તસુધારસ’, ‘અધ્યાત્મસાર’ એ ગ્રંથો પર Jain Education International 2010_02 પૂજયપાદ મુનિરાજશ્રી નેમિવિજયજી મહારાજ પૂજયપાદ પં.શ્રી ગંભીરવિજયજી મહારાજ પૂજય મણિવિજયજી મહારાજ For Private & Personal Use Only સૂરિષારોપણ અને તીર્થોદ્ધાર : 3 30 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126