Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 57
________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ୪୪ Jain Education International 2010_02 નથી કર્યો કે આ ગામનો મુખ્ય માણસ મારા પરિચયમાં આવે. જેમ આનંદઘનજી મહારાજ આબુના પહાડમાં જાય એટલે ચિત્રાવેલી એમને પગે વીંટળાઈ જતી પણ તેઓ પગને ખંખેરીને વેલીઓ કાઢી દેતા. તેવી રીતે મહારાજ સાહેબની પાસે પણ ઊંચા ઊંચા માણસો વીંટળાઈ રહેતા. છતાં મહારાજ સાહેબ નિઃસ્પૃહ રહેતા. મહારાજશ્રીની નિઃસ્પૃહતા અમદાવાદના ધોળશાજીએ મહારાજ સાહેબને કહ્યું કે તમારે હવે પુસ્તકો રાખવાં જોઈએ. ૧૯૬૧ની આ વાત. ત્યારે મહારાજ સાહેબે જવાબ આપેલો કે ‘મારે પુસ્તકો રાખવાં નથી. જ્યાં જાઉં ત્યાં પુસ્તકો મળી જાય છે.' તેમ છતાં તેઓ સામેથી આગ્રહ કરીને પુસ્તકો આપી ગયા. તે પુસ્તકો કપડવંજમાં રાખવામાં આવ્યાં. પછી તે પુસ્તકોનો ભંડાર કપડવંજમાંથી ખસેડાઈને ખંભાતમાં સ્થિર થયો. આપણે બધા શેરીસા તીર્થમાં અવારનવાર જઈએ છીએ પણ શા માટે, કયા સંદર્ભમાં જઈએ છીએ તે આપણને ખબર છે ? ભોજનશાળા થકી તીર્થસ્થાનો નક્કી ન કરાય. ત્યાં પ્રભુજી કેવા છે, દેરાસર કોણે બંધાવ્યું, એમાં કેટલો વખત લાગ્યો, દેરાસરનો રંગમંડપ કેવો છે, એ કોણે કેવી રીતે બાંધ્યો, એ બધા વિશે વિચાર્યું છે ? શેરીસા તીર્થના દહેરાના બહારના ભાગના થાંભલા, વાપરવામાં આવેલો ઇટાલીનો આરસ, એ પ્રભુજી, અંબિકાદેવી અને ચક્રેશ્વરી દેવીનાં અલૌકિક બિંબો - આ બધું કા પૂજ્યપાદશ્રી દ્વારા જ થયું છે. એમ કહીએ કે જ્યાં શૂન્ય હતું ત્યાં શેરીસા તીથનું સર્જન થયું છે. એ જ રીતે રાણકપુર અને કાપરડાની વાત છે. રાણકપુર આજે જગતના ચોકમાં જે દેખાય છે તેમાં સૌથી મોટો ફાળો પૂજ્યપાદ નેમિસૂરિ મહારાજનો છે. સાદડી ચાતુર્માસ દરમ્યાન રાણકપુર તીદર્શન : વિ.સં. ૧૯૭૨માં સાદડી ચોમાસું કર્યું ત્યારે મહારાજ સાહેબ ત્યાં પધાર્યા હતા. આખાયે દહેરાસરમાં ફર્યા ત્યારે ત્યાં સાપના રાફડા હતા. ઠેરઠેર ઝાડ ઊગી ગયાં હતાં. ધૂળના બધે થર જામ્યા હતા. દેરીઓના પ્રભુજી બધા જ અંદર ભોંયરામાં હતા. એકેય દેરીમાં ભગવાન નહિ. ઉપરનું મૂળનાયક ભગવાનનું પરિકર ખંડિત થયેલું હતું. ભગવાનને આ સ્વરૂપે જોયા પછી તેમને ઘણું જ દુઃખ થયું. રાણકપુરનાં દર્શન કરીને તેઓ સાદડી આવ્યા. સાદડીમાં જોયું કે ઘણાખરા શ્રાવકો દુ:ખી દુ:ખી હતા. કારણ જાણ્યું ત્યારે ખબર પડી કે દેવદ્રવ્યનું દેવું પૂરું ભરપાઈ કરી શક્યા નથી માટે આમ બન્યું છે. ચોપડા મંગાવ્યા. મહાજન ભેગું કર્યું, દેવું યથાશક્ય ભરાવ્યું અને ચિંતામણી પાર્શ્વનાથનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીને સોંપાવ્યો. પેઢી મહારાજ સાહેબને સંપૂર્ણ સમર્પિત હતી. પેઢીની મીટિંગ હોય ત્યાં મહારાજ સાહેબે નહિ જવાનું, મહારાજ સાહેબ હોય ત્યાં મીટિંગ રખાતી. મહારાજ સાહેબ આબુમાં હોય તો મીટિંગ આબુમાં થયેલી છે. બધા નિર્ણયો પણ મહારાજ સાહેબ જાતે લખાવે. સુભદ્રવિજયજી : સુભદ્રવિજયજી મહારાજ પૂજ્યપાદશ્રીના શિષ્ય હતા. ગોકળદાસ અમથાલાલ એમનું સંસારી નામ. એ પોતે સોલિસીટરે. હોશિયાર એટલા કે એમણે લખેલા મુસદ્દાઓ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126