Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 56
________________ અંબાલાલ સારાભાઈ મહારાજશ્રીને કહે, ‘હું પ્રસંગ કરું એમાં ના નહીં. પણ આ જ્ઞાતિવાળા કોઈ આવે જ નહીં તો મારું શું થાય ત્યારે મહારાજ સાહેબે કહ્યું, ‘બધું સારું થઈ જશે. તમે શું ઈચ્છો છો ?” ત્યારે અંબાલાલ સારાભાઈએ કહ્યું કે, “આપને હું કોરા પાને સહી કરીને આવું છું. આપ જે હુકમ ફરમાવશો તે મારા માથા પર.” મહારાજ સાહેબે એમને એવો દિલાસો આપેલો કે જ્ઞાતિવાળા તમારે ત્યાં કોઈપણ ભોગે જમવા આવશે. તેથી અંબાલાલ સારાભાઈએ હર્ષિત થઈને જ કોરા કાગળ પર સહી કરવાનું આ વચન આપેલું. આ બાજુ મહારાજ સાહેબે જ્ઞાતિવાળાઓને બોલાવ્યા, અને પ્રસંગમાં ન જવાનું કારણ પૂછ્યું તથા એમાં જવા માટે સમજાવ્યું. ત્યારે જ્ઞાતિવાળાઓ કહે, ‘જઈએ તો ખરા, પરંતુ અમારી આટલી કલમો છે.' મહારાજ સાહેબ કહે, ‘તમે કલમો લખીને આપો. હું સહી કરાવી આપીશ.” જ્ઞાતિવાળાઓ કહે, “તે સહી નહીં કરી આપે.' તેમ છતાં મહારાજ સાહેબે કલમો લખાવી લીધી. આ વચ્ચેના ગાળા દરમિયાન પ્રતિષ્ઠાની તિથિ નક્કી થઈ ગઈ. જ્ઞાતિવાળાઓએ વિચાર્યું કે ‘આમંત્રણ તો મગનલાલ કરમચંદના નામે અપાશે. તે નામે જવામાં આપણને વાંધો નથી. આપણો વાંધો તો અંબાલાલ જોડે છે.' જ્યારે આ વાતની અંબાલાલને ખબર પડી કે જ્ઞાતિવાળાઓ તો બીજા નામે આમંત્રણ પત્રિકા બહાર પડશે તેવું માની રહ્યા છે ને ઈચ્છી રહ્યા છે ત્યારે તેમણે ખાસ પોતાના નામથી આમંત્રણ પત્રિકા બહાર પડાવડાવી. લોકો કેવી રીતે વટ ખાતર જીવતા હતા તેની આ વાત ! જ્ઞાતિવાળા કહે, ‘હવે શું કરવું ?” વળી પાછી તેઓ મહારાજ સાહેબ પાસે ભેગા થયાં અને પત્રિકા પર અંબાલાલ સારાભાઈનું નામ છપાયાની વાત કરી. મહારાજ સાહેબ કહે, ‘તેમણે સારું કામ કર્યું છે કે ખરાબ કામ કર્યું છે ? તેઓ દીકરી પરણાવે છે કે ભગવાન બેસાડે છે ? હવે શું કરવું તે તમારે નક્કી કરવાનું છે.” છેવટે જ્ઞાતિવાળા કહે, “સાહેબ, આપ કહો તેમ કરવા અમે તૈયાર છીએ.' આ રીતે વાતચીતનો સુખદ અંત આવ્યો. આખી જ્ઞાતિ જમવા માટે વધારી. આ અંબાલાલ સારાભાઈ પણ મહારાજ સાહેબ પ્રત્યે આટલા સમર્પિત. અસલાલીમાં અંબાલાલ સારાભાઈનું મહારાજશ્રી સાથે રાત્રિમિલન એક દિવસ જ્યારે મહારાજશ્રીનો અસલાલી ગામે મુકામ હતો ત્યારે સાંજે સાડા સાત વાગે તેઓ મહારાજશ્રીને મળવા આવ્યા. અંબાલાલ સારાભાઈની ઉપર તે વખતે વોરંટ હતું. એટલે તેઓ દિવસે છુપાઈ રહેતા અને રાત્રે નીકળતા. એ રીતે મહારાજ સાહેબને મળવા અસલાલી પણ રાત્રે જ આવ્યા. મહારાજ સાહેબ પોતે હાથ મૂકીને સૂતેલા. અંબાલાલભાઈને અત્યારે જોઈને એમની આંખો વિકસ્વર થઈ ગઈ. મોઢા પર આનંદ છવાઈ ગયો. કલાકો સુધી બન્ને વચ્ચે હૃદયની આપ-લેની વાતો થઈ. આટલી નિકટતા મહારાજ સાહેબને જે-તે ગામોના મોટા ભાગના ઉચ્ચ કક્ષાના બધા માણસો સાથે સ્વાભાવિક થઈ ગયેલી. કદી એમણે પ્રયત્ન વકિપદારોપણ અને તીર્થદ્વાર : 3 ૪3 Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126