Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 62
________________ છે. આરાધકવર્ગ અને પ્રભાવકવર્ગ આ બે વર્ગ જિનશાસનમાં હંમેશાં રહ્યો છે. જ્યાં પ્રભાવકનું કાર્ય હોય છે ત્યાં આરાધકો કામ લાગી શકતા નથી; જયાં આરાધકોનું કાર્ય છે ત્યાં પ્રભાવકોએ કાર્ય કરી બતાવ્યું છે. સ્વયંભવસૂરિ મહારાજની પ્રાપ્તિ આપણને શા માટે થઈ ? તેઓ તો બ્રાહ્મણ કુલોત્પન્ન હતા. બ્રાહ્મણની જ્ઞાતિમાં અને જાતિમાં તેઓનું સ્થાન મોખરાનું હતું. પ્રભવસ્વામી મહારાજે શા માટે ત્યાં સુધી દષ્ટિ દોડાવી ? શા માટે સાધુ ભગવંતોને મોકલીને સ્વયંભવ ભટ્ટ પોતે આ તરફ પોતાને જુએ એવી વ્યવસ્થા કરી ? શું ખામી હતી ? પ્રભવસ્વામી પાસે સાધુ સંખ્યા કેટલી ? હજારોની સંખ્યામાં. પાંચસો તો પોતાની સાથે આવેલા. એની પહેલાં જંબૂસ્વામી જેઓ કેવળી હતા તેઓના નિશ્રાવર્તી પુષ્કળ સંખ્યામાં છતાં કેમ એમના પર નજર ન ઠરી અને ત્યાં જવું પડ્યું ? એ સાધુઓ એ કાળે કેવી ઊંચી કક્ષાની આરાધના કરનારા હશે ? દેશ અને કાળ પણ આરાધનામાં સહાયક થતા હોય છે. તાજા તાજા ગૌતમસ્વામી મહારાજ પછીના જંબૂસ્વામીજી મહારાજ જ્યારે સકળ કમનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી મોક્ષમાં પધાય તે પછીની તાજેતરની આ ઘટનાઓ છે. શ્રી સંઘનું સુકાન હંમેશાં પ્રભાવકોથી ચાલ્યું છે, એમને શોધવા પડ્યા છે. આરાધકોએ પણ પ્રાર્થના પ્રભાવકોની કરી છે. મંત્રીશ્વર વસ્તુપાલનો અંકેવાળીયા ગામમાં સ્વર્ગવાસ થયો ત્યારે વર્ધમાનસૂરિ મહારાજે એ દિવસથી આયંબિલ શરૂ કર્યા અને એમનું દેવવંદન કર્યું હતું. મહાશ્રાવકની કક્ષાના એ વસ્તુપાલ (‘મંત્રીશ્વર’ શબ્દ તો એમના વ્યવસાયથી પછીથી આવેલો છે.)ની શાસનનિષ્ઠા અને સમર્પણભાવને લઈને એમણે આ કર્યું છે. એક વાર વર્ધમાનસૂરિ મહારાજ શંખેશ્વર આવી રહ્યા હતા. રસ્તામાં સમાચાર મળ્યા કે આ બાજુ વસ્તુપાલ મંત્રીશ્વર ગિરિરાજનો સંઘ લઈને જઈ રહ્યા છે. એ સમાચાર મળતાંવેત વર્ધમાનસૂરિ મહારાજ એટલે વર્તમાનના શંખેશ્વર તીર્થના અધિષ્ઠાયક દેવ . પોતે છે. વસ્તુપાલ મંત્રી હતા તે વખતનો શ્રાવકો કેવી કક્ષાનાં હશે ! જે પ્રભાવક્તાની વાત કરી એ સંદર્ભમાં, સં. ૧૯૨૯માં દીક્ષા થયા પછી જે રીતે નેમિસૂરીશ્વરજી મહારાજ ઉત્તરોત્તર સંઘ ઉપર છવાઈ રહેલા હતા એ જોઈને ગંભીરવિજયજી મહારાજે એમને આચાર્યપદ આપ્યું. આ ઘટના નાનીસૂની નથી. જ્યારે એ સમજવા પ્રયત કરીએ છીએ ત્યારે લાગે કે કેવા ગુણો અંદર ઉભરાતા હોય, પ્રમોદ નામનો ગુણ કેવો તો ખીલ્યો હોય ત્યારે આ કાર્ય શક્ય બને. ચારિત્રવિજયજી : પોતાના ગુરુભાઈ નેમિવિજયજી, યાયમાં નાના છે. સં. ૧૯૩૦માં ગંભીરવિજયજી મહારાજ સાહેબની દીક્ષા થઈ હતી. તેઓ શક્તિસંપન્ન અને મંત્રવિદ્ હતા. એમના શિષ્ય ચારિત્રવિજયજી મહારાજ પણ એવા જ. તે બ્રાહ્મણ જ્ઞાતિના અને સંસાર પક્ષે ગંભીરવિજયજીના ભાણેજ થાય. તેઓના ઉપદેશથી અને અથાગ પ્રયત્નોથી સોનગઢમાં ચારિત્રરત્નાશ્રમની સ્થાપના થઈ. (આપણે ત્યાં એક બીજા ચારિત્રવિજયજી પણ હતા. એ ગુરુકુળની સ્થાપના કરનારા ચારિત્રવિજયજી કચ્છી હતા અને ત્રિપુટીના નામે જાણીતા હતા. જ્ઞાનવિજયજી, દર્શનવિજયજી અને ચારિત્રવિજયજી – એ ત્રિપુટી પૈકીના ચારિત્રવિજયજીના પ્રયાસથી પાલિતાણા સ્ટેશનની સામે ગુરૂકુળની સ્થાપના થઈ છે. પણ એ ચારિત્રવિજયજી જુદા અને આ જુદા.) 31નોલર : ૪ ૪૯ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126