Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ જોતજોતામાં મહુવા ખબર પડી ગઈ. અહીં મહારાજ સાહેબને ખબર પડતાં એમણે પણ કહ્યું, “આ તે શું કર્યું? હમણાં બધા આવી પહોચશે અને લક્ષ્મીચંદ તો કેવા ભરાડી માણસ છે ! એમને શું જવાબ દઈશું?” તેઓ કહે, “કૃપાળુ ! આપને કશી ચિંતા કરવાની નથી. હું એ સંભાળી લઈશ. મારા પિતાજી જે કંઈ પૂછશે એ બધાનો ઉત્તર હું આપીશ.' આ એમની નીડરતા અને ધ્યેયની નિશ્ચલતા. માત્ર ધ્યેય સ્પષ્ટ થવું એકલું જરૂરી નથી હોતું, ધ્યેયમાં નિશ્ચલ રહેવું પણ જરૂરી હોય છે. ડગવું પણ નહીં અને ડરવું પણ નહીં. ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું, વેણ કાઢયું તે ના લટવું, ના લટવું.” માતાપિતાનું આગમન - માતાનો વિલાપ; બીજા જ દિવસે લક્ષ્મીચંદભાઈ તેમના - કાફલા સાથે આવ્યા. દિવાળીબહેન પોતાના પુત્રને સાક્ષીભાવની સાઘના પહેલા દિવસથી જ શરૂ ઓ સ્વરૂપમાં જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યાં, થઈ ગઈ છે. જો ચોળીઓ સાક્ષીભાવની છાતી ફૂટવા લાગ્યાં, માથું પટકવા લાગ્યાં. તેઓ સાઘના 32વા માટે વર્ષો 3ઢ છે, વીતાવે છે આ બધું શાંત ચિત્તે જોયા કરે છે. સાક્ષીભાવની તે પહેંલા 1ëવસેં જ સિદ્ધ થઈ 8ાઈ. તેઓ સાધના પહેલા દિવસથી જ શરૂ થઈ ગઈ છે. જે ર્ચાલિત થતી નથી, મનથી સહેજ પણ યોગીઓ સાક્ષીભાવની સાધના કરવા માટે વષો કઢે વિચલિત બનતા નથી. છે, વીતાવે છે તે પહેલા દિવસે જ સિદ્ધ થઈ ગઈ તેઓ ચલિત થતા નથી, મનથી સહેજ પણ વિચલિત બનતા નથી. તેમણે સ્વસ્થતાથી ઉત્તરો આપ્યા, ‘મેં સમજી-જાણીને આ કામ કર્યું છે. તમે જ કહો આ સારું કામ છે કે નહીં ?' લક્ષ્મીચંદ કહે, ‘કામ તો સારામાં સારું છે. પણ તારે અમને જાણે તો કરવી હતી. અમે તને દીક્ષા સારી રીતે અપાવત.” “પિતાજી, તમે આ બધું જ કરી શકો એમ છો, પરંતુ તમે હવે મને આશીર્વાદ આપો જેથી હું આ સંયમપંથે વધુ ને વધુ આગળ જાઉં, મારા ગુરુજીનું નામ ઉજાળું. બસ, આવું જીવન જીવી શકું એવા આશીવાદ આપો.' અંતે પુત્રરત્નની સોપણી કલાક, દોઢ કલાકની મથામણને અંતે વાતાવરણ શાંત બન્યું. બધા પાછા હસતા મોઢે ગુરુમહારાજની પાસે આવ્યા અને કહ્યું કે “ગુરુમહારાજ, તમારાં ચરણોમાં અમારા ઘરનું આ રન તમને સોંપીએ છીએ. આપ એને સારી રીતે ભણાવજો, સંયમમાં સ્થિર કરજો.’ આવા આશીવાદ સાથે એ દિવસથી એમના આ દીક્ષા જીવનનો પ્રારંભ થાય છે. આ વાત સં. ૧૯૪પના જેઠ સુદ પની છે. આ દીક્ષાની વીગતમાં આપણે એટલા માટે ઊંડા ગયા કે તે દિવસથી એમણે એમનો માર્ગ નક્કી કર્યો. એ દિવસે પિતા લક્ષ્મીચંદભાઈ અને માતા દીવાળીબહેન બહુ લાગણીથી શબ્દો બોલેલાં, “જે રીતે સિંહની જેમ તમે નીડરતાથી શાસનસમ્રાટ નીકળ્યા એ રીતે જ તમે આગળ ધપજો અને અમારા કુળને દીપાવજો.' પ્રવચનમાળા ૧ ૦ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126