Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 45
________________ રાજા શ્રેણિક મહારાજાએ પોતાની કન્યા પરણાવી તથા શાલિભદ્ર મહારાજની બહેન સુભદ્રાનું પાણિગ્રહણ પણ એમની સાથે થયું. ધન્યકુમારના માત્ર એક રાતના નિવાસથી આખો ઉઘાન નવપલ્લવિત થઈ ગયો. જ્યાં વિહાર ત્યાં નવચેતન: એ જ રીતે મહારાજ સાહેબ જે જે પ્રદેશમાં વિચર્યાને જ્યાં દષ્ટિપાત માત્ર થયો છે ત્યાં બધી જગાએ આળસ મરડીને જાણે બધાં કડાં બેઠાં થઈ ગયાં છે. એવી કેટલીયે જગાઓ હતી કે જ્યાં કોઈ આવતું જ ન હતું પણ મહારાજે માત્ર નજર કરતાં એ સજીવન બની છે. એમની અંદરની ચેતના કેટલી જાગ્રત હશે ! પ્રાણથી કેવી ઉભરાતી હશે ! કામળિયાઓ સાથે કામ લીધું: કાળમીંઢ પાણા જેવા કામળિયા દરબારોને પલાળવા એ કેટલું કપરું કામ છે એ તાજેતરમાં જ થયેલા તેની પાસેના તીર્થના કાર્યમાં જેઓ ડૂબેલા છે તે જાણે છે. એ વખતના સાક્ષી શાંતિભાઈ જેસરવાળાને ખબર છે કે એમાં કેટલાં વિદનો આવ્યાં છે અને એ વિનોને ખાળવા શું શું ભોગ આપવો પડ્યો છે. મહારાજ સાહેબમાં બીજું એક તત્ત્વ કામ કરતું હતું. તેઓ તો કાયના વાહક હતા, કરનારા તો બીજા હતા. એમને કામ કરાવવું હતું અને એમની દ્વારા કરાવવું હતું એટલે એ જે-તે સ્થળે પહેલાં પહોચી જતા હતા. આપા કામળિયાને રાત્રે સ્વમ આવે છે. સ્વપ્રમાં એક જગા દેખાય છે. એ જગામાં ઘી ઢોળાયેલું જુએ છે. એ જગા આપવાનું મન કરતાં જયારે ઈચ્છે છે ત્યારે ફરતાં ફરતાં જગા પાસ કરીને સામે પગલે તેઓ આપવા ગયા છે. અત્યારે એ જગાએ મહાવીરસ્વામીનું દેરાસર બનેલું છે.) કામળિયાઓએ મહારાજ સાહેબને કહ્યું, “આપ સ્વીકારો. અમે આપને બધું લખી આપીએ.” મહારાજ સાહેબ કહે, કશું લઈ ન શકું. હું સાધુ છું.’ તે વખતે એમની જોડે એક ડાહ્યો માણસ હતો દીવાન. પોતે બ્રાહ્મણ હતો પણ જૈન પરંપરાથી પરિચિત હતો. એણે કહ્યું, “અકબરશાહ બાદશાહે જે સનદો-ફરમાન આપ્યાં તે જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજીએ સ્વીકાર્યા છે. આપ કેમ સ્વીકારતા નથી .?મહારાજ સાહેબ સ્પષ્ટ કહે છે, “ભલા માણસ, એ મહાપુરુષોની હું પગની રજ પણ નથી. સનદો મારા નામે લઈ ન શકાય, પેઢીના નામે જ લેવાય. સાધુને જરજમીન ન હોય.' અને એ જમીન પેઢીને નામે જ લીધી છે. અત્યારે પણ જ્યાં પાણી ઊકળે છે તે આગળનો મોટો વંડો આજે પણ આ.ક. પેઢીના નામે છે. આ દીર્ધદષ્ટિ, આ દૂરંદેશીપણું, આ નિઃસ્પૃહતા ક્યાં મળે ! અમૃતસૂરીશ્વરજી: એમના ઉદ્દગારો જેને દેખી...': વિ.સં. ૧૯૭૨માં સાદડીમાં મહારાજ સાહેબનું ચોમાસું હતું. તે વખતે તેમના શિષ્ય શ્રી અમૃતસૂરીશ્વરજી મહારાજનો દીક્ષાપત્યય એક વર્ષનો. એક વર્ષના પર્યાયમાં એમણે ચોવીસે ભગવાનનાં સ્તવનો બનાવ્યાં, સ્તુતિઓ રચી, કુમારપાળ મહારાજાની શાસનસમ્રાટ પ્રવચનમાર્ગ 32 5. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126