Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 27
________________ તે મને મળો. ભલે આ ઈચ્છા પૂરી ન થાય. પરંતુ સંસારી જીવ આ ઈચ્છાને આધીન રહ્યા છે. ત્યાં જ્ઞાનીઓએ પોકાર કર્યો કે : ઇચ્છા એ જ દુઃખનું મૂળ છે. ઈચ્છાનો અભાવ સુખ છે.” ત્યારે મૈત્રી કહે છે તે કોઈના સુખમાં બાધા ન પહોંચાડતો. સુખી થવાનો એ ઉપાય છે. સુખની ભાવના જેટલી વ્યાપક તેટલું સુખ નજીક છે. બધા જ ક્લિષ્ટ દુર્ભાવો તારા જ દુઃખમાં પરિણમશે. જે ઘણા દાન, તપ કે શીલથી પણ દૂર થવા દુર્લભ છે. માટે સૌના સુખમાં પ્રસન્ન થા. હું સુખી થાઉં તે શુદ્ર ભાવ ત્યજીને સૌ સુખી થાઓ એ ભાવની નિરંતર પુષ્ટિ કર. તો તારામાં રહેલા સંકલેશિત ભાવ દૂર થશે. એ મૈત્રીભાવનું માહાભ્ય છે. મિત્ર હો કે શત્રુ હો, ઉપકારી હો કે અપકારી હો પણ જો તારા ચિત્તમાં તેમના સુખની ભાવના છે, તો તેને તેનું રોકડું ફળ એ મળે છે કે તું અંતરશાંતિને અનુભવે છે. મૈત્રીભાવનો આવો મહિમા શા માટે ? હે ચેતન ! આ ભાવનાનું જ્ઞાન અને ભાન કરાવનાર તેના આદિ ઉપદેષ્ટા અરિહંત પરમાત્મા છે. અંતના ત્રીજા ભવમાં મુનિપણે રહીને મૈત્રીભાવનાને તેમણે મૂર્તસ્વરૂપ આપ્યું. સમભાવની પરાકાષ્ઠાએ પહોંચી, એકે એક આત્મપ્રદેશે તેમણે મૈત્રીને સ્થાપિત કરી. પરિણામે જ્યારે તેઓને જ્ઞાનસ્વરૂપે વિશ્વવ્યાપ મળ્યો ત્યારે તે ભાવનાઓ જગતને કલ્યાણકારી બની. શાંતિનાથ ભગવાને પૂર્વભવમાં એક હોલા જેવા પક્ષી માટે પૂર્ણપણે દેહનો અંત સ્વીકારી લીધો. “આત્મવત્ સર્વ ભૂતેષુ' તેમણે પારધિરૂપે આવેલા દેવને સમજાવ્યું. જેવો મને મારો આત્મા પ્રિય છે, તેવો પ્રાણીમાત્રને આત્મા પ્રિય છે. અન્યની પ્રિય વસ્તુ છીનવી લેવી કે તેનો નાશ કરવો તે મહા અપરાધ, સ્વના દુઃખને આમંત્રણ છે, અને પરપીડાનો તું સ્વયં કર્તા થાય છે. સૌને માટે સમભાવ ૨૨ ક સત્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74