Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 48
________________ ૧ લૌકિક, ૨ લોકોત્તર, ૩ સ્વવિષય, 8 પરવિષયક ૫, વ્યાવહારિક, ૬ નૈથિયિક વગેરે. ૧. લોકિક કરુણા : દુઃખી માનવને જોઈને તેને વસ્ત્ર, પાત્ર, અન્ન, ધન, સ્થાન વગેરે આપવાં. પશુઓ પ્રત્યે પણ તેમને યોગ્ય જે કંઈ વ્યવસ્થા કરવી પડે તે. ૨. લોકોત્તર કરુણા : આ પ્રકારમાં ધર્મથી ચુત થયેલા કે ધર્મ સન્મુખ ન થયેલાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. આથી દુ:ખ દૂર કરવાના કારણ કરતાં દુઃખનું મૂળ, પાપને દૂર કરવા તેને ધર્મબોધ આપવો. તત્ત્વરુચિ કરાવવી. તેનાં ઉપકરણો આપવાં. ધર્મપ્રાપ્ત થાય તેવા સ્થાનોનું આયોજન કરવું. ૩. સ્વવિષયક કરુણા : અશુભયોગે પોતાને કોઈ દુ:ખદ પરિસ્થિતિ પેદા થાય તેને આધ્યાત્મિક ઉપાયો વડે દેવગુરુના દર્શાવેલા ધર્મ દ્વારા દૂર કરવાના ઉપાય કરવા. ૪. પર વિષયક કરણા : અન્યના માનસિક-(ભાવ) કે બાહ્ય-દિવ્ય) બંને પ્રકારનાં દુઃખ દૂર થાય તેના સમ્યગુ ઉપાયો બતાવવા. ૫. વ્યાવહારિક કરુણા : જે વ્યક્તિની જે જરૂરિયાત હોય તેવી બાહ્ય સામગ્રી કે અન્ન વસ્ત્રાદિ આપવાં. ૬. નૈશ્ચિયિક કરુણા : શ્રેષ્ઠ કરુણા છે, ઉપરની કોઈ પણ કરણા નિષ્કામ હોય તો છેવટે તેનો સાર આત્માનો શુભ અધ્યવસાય છે. સ્વલક્ષ કે સ્વઆશ્રયે થતી કરુણા નિર્જરાનો હેતુ બને છે, તે નૈઋયિક કરુણા છે. શુભ અધ્યવસાયનું આયોજન અને પ્રયોજન : સામાન્ય રીતે નૈસર્ગિક અને નૈશ્ચયિક કરુણા થતાં પહેલાંની એક ભૂમિકા હોય છે, જેમાં લોકોત્તર, કે વ્યાવહારિક કરુણા થતી હોય છે. વળી ક્યારેક પહેલાં ભાવ થાય છે પછી તેને યોગ્ય પ્રવૃત્તિ સત્વેષ મૈત્રી : ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74