Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 70
________________ ઉપસંહાર મૈત્સા સર્વેષ સન્વેષ પ્રમોદન ગુણાધિકે માધ્યચ્ચેના વિનીતેષ કૃપયા દુઃખિતેષ. કોઈ પુણ્યશાળીનું ચિત્ત સર્વ પ્રાણીઓ પર મૈત્રી ગુણાધિક પ્રત્યે પ્રમોદ, અવિનીત પ્રત્યે માધ્યચ્ય અને દુ:ખી પ્રત્યે કરુણા વડે વાસિત બનીને બેંતાલીસ પ્રકારનું શુભ કર્મ બાંધે છે. જેમ સંસારમાં ભાગ્યશાળીઓને સાચા મિત્રો મળે છે, તેમ પુણ્યશાળીઓને – સત્ત્વશીલને કલ્યાણમિત્ર કે સન્મિત્ર મળે છે. સવિશેષ તો મુનિઓ મૈત્રી આદિ ભાવનાના અધિકારી છે. સાચો મિત્ર સુખમાં સબુદ્ધિ આપે છે. દુઃખમાં પોતાનું સુખ ધનાદિ જતાં કરીને પણ મિત્રના દુઃખમાં સહાય કરવા તત્પર રહે છે. કલ્યાણમિત્ર તો સર્વપ્રકારના દુઃખથી મુક્ત થવામાં સાથ આપે છે. અર્થાત્ અવ્યાબાધ સુખની પ્રાપ્તિનો તે ભોમિયો છે. ઉપરના કથન અનુસાર સત્વેષ મૈત્રી એ પણ સત્ત્વશીલ માનવનું લક્ષણ હોય છે. જંતુથી માંડીને સર્વ જીવસમૂહ પ્રત્યે મૈત્રીની ઉત્તમ ભાવના થવી, તેમાં સ્થિર થવું, વ્યવહારમાં તેનું અવતરણ કરવું અને પરમાર્થ માર્ગમાં મૈત્રીભાવનાનું સમતાસ્વરૂપે સ્થિર થવું, તેવું પરિબળ સત્ત્વશીલ કે પ્રાજ્ઞપુરુષમાં સંભવ છે. સત્ત્વહીનમાં તે અસંભવ જેમ હરિનો મારગ શૂરાનો છે ત્યાં કાયરનું કામ નથી, તેમ ક્લેશજનિત વૃત્તિવાળા જીવોમાં આ મૈત્રીભાવના સ્થાન લેતી નથી. પાત્ર જીવમાં તે સમગ્રપણે પ્રસાર પામે છે. ચરમાવર્તિમાં પ્રવેશેલા જીવમાં યત્કિંચિત આ ભાવનાઓ હોય છે. યોગીજનો તેના સહજ જ પ્રણેતા છે. સત્વેષ મૈત્રી ક ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74