Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 49
________________ થાય છે. તો કોઈવાર તે પ્રવૃત્તિ કરતાં ભાવ જાગે છે. દુઃખની નિવૃત્તિ સર્વ પ્રાણી ઇચ્છે છે. પણ જો વ્યક્તિ એમ વિચારે કે મને દુઃખ ન થાઓ, તો તેમાં મારા પ્રત્યે રાગ અને દુઃખ પ્રત્યે દ્વેષ થશે, વળી એમ કરવાથી દુઃખ કંઈ ત્યાગી જતું નથી. માટે સત્ત્વશીલ મનુષ્યો દુઃખ આવે ત્યારે તેનો સ્વીકાર કરી સમતાથી દુઃખના મૂળને શોધે છે. કારણ કે ઉદયકર્મમાં જીવપરાધીન છે, પરંતુ તે દુ:ખનો દ્વેષ ન કરવામાં તે સ્વાધીન છે. અને જો જીવમાં આવી સમાધાનવૃત્તિ આવે તો દુ:ખ હળવું બને છે. વળી તેમાં પણ જો નૈૠયિક કરુણા સમજાઈ હોય તો તેને દુઃખરૂપે સ્પર્શતું નથી. અથવા અન્યના દુઃખ-પ્રત્યે કરુણા રાખવાથી પણ દુઃખ હળવું થાય છે. તેમાં રહેલા શુભ ભાવનું એ પરિણામ છે. નૈશ્ચયિક કરુણા રત્નત્રય જેવા તત્ત્વની – ગુણોની સાધનાથી નિપજે છે, અને તે પારમાર્થિક હોવાથી ભવાત કરે છે. પોતાનું દુ:ખ ભૂલી જ્યારે જીવમાં ઉત્તમ અધ્યવસાયને કારણે સર્વના દુ:ખની કરુણા આવે છે ત્યારે તે સાધનાનો મર્મ છે. જ્યારે દુઃખ પડે ત્યારે પોતાના કરતાં વધુ દુઃખી જીવોનું દુઃખ તારા ઉદ્વેગને ઘટાડી દે છે. તે માટે મહાપુરુષો દુઃખો સહન કરીને કેવી ઉન્નતિ પામ્યા તેની વિચારણા લાભદાયક છે. વળી અન્ય જીવોની અપેક્ષાએ હું સુખી છું. નાનામોટા અપરાધ કરું છું તો પણ સુખેથી વસા-અન્નાદિ પ્રાપ્ત કરું છું. માટે મારે આવા પુણ્યોદય વડે અન્યનાં દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવા. આવી શુભ ભાવના તારા કોઈપણ પ્રકારના મદ-માન-મત્સરને દૂર કરી દેશે. લોકોત્તર કરુણાનો છૂપો મર્મ એ છે કે સર્વાત્મમાં સમાનદષ્ટિ. એ કરુણાનું ક્ષેત્ર અતિ વિશાળ છે, તેથી તારી એ ભાવના શુભ અધ્યવસાયના શિખરે પહોંચે છે. જોકે અધ્યવસાય તે કોઈ સ્થાને હાનિકર કે હિતકર હોઈ શકે છે. અશુભ અધ્યવસાયો અર્થાત્ વિષય-કષાયોમાં જોડાતા ૪૪ ક સત્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74