Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 51
________________ હોય તો કર્મની ચિત્રવિચિત્રતા જોઈને પણ તે ભાવ કેળવવો. તે કેળવવા માટે દાનાદિ ધર્મો, તીર્થ પર્યટન, પરોપકારના કાર્યો કરવાં જરૂરી છે. પવિત્ર પર્વોના દિવસો, શુભાશુભ પ્રસંગો સહાયભૂત થશે, તારે તે અવસર પામીને ઉદ્યમી થવું જોઈએ. પરહિતસાગર-સ્વહિત સરિતા તીર્થંકર પરમાત્માએ અનેકવિધ બોધ આપ્યો છે, તેમાં જો તેમના હૃદયનો મર્મ પામવો હોય તો તે તેમની કરુણામય દૃષ્ટિ છે. તેમના બોધમાં સ્વ-પર હિતની મુખ્યતા છે, કથંચિત પરહિત – સૌના હિતની ભાવનામાં સ્વહિત સમાઈ જાય છે. પરહિત સાગર છે તો સ્વહિત સરિતા છે. કરુણાભાવ સાધુ-શ્રાવક-સાધક સૌને ઉપકારી છે. કેવળ પરના દુઃખનું નિવારણ થાય છે, તેવું નથી તે ભાવના જ્યારે આચારમાં આવે ત્યારે પોતાનું એ શુભ ભાવના વડે હિત જ થાય છે. અરે ! કરુણાભાવના વગરના જ્ઞાનાદિ સર્વ પ્રયોજન મભૂમિ જેવા સૂકા-શુષ્ક છે, જ્યાં એક અંકુર પણ ફૂટતો નથી. તેમ કરુણાભાવ રહિત જીવનમાં ધર્મ અનુષ્ઠાનો કરે તો પણ સાચા સુખનો અંકુર ફૂટતો નથી. “જે ધર્મઅનુષ્ઠાનોના મૂળમાં દયા-કરુણાનો ભાવ નથી, તે ધર્માનુષ્ઠાનો વાસ્તવિક ધર્માનુષ્ઠાન ગણાતું નથી. કરુણામય જિન પ્રવચનનાં રહસ્યો હૃદયમાં કરુણાભાવ પ્રગટવાથી જ સમજાય છે.” પછી ભલે તે દાનાદિ હો, પૂજા-ભક્તિ હો, ઉત્સવ-મહોત્સવ હો, તે જરૂરી છે છતાં કરુણાભાવ વગર પારમાર્થિક ફળદાયી નથી. જૈનધર્મ જ કરુણા પ્રધાન છે. જિનનો માર્ગ રાગદ્વેષ રહિત અર્થાત્ કરુણાયુક્ત છે. માનવ બુદ્ધિમાન પ્રાણી છે. તેનામાં દુઃખીનાં દુઃખો નાશ કરવાની વૃત્તિ થાય ત્યારે યથાશક્તિ પ્રવૃત્તિ થઈ જાય છે. એવી શુભકામના – ૪૬ સત્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74