Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 31
________________ સૌનાં દુઃખ દૂર થાઓ. વેરઝેર શમી જાઓ. સૌના રોષ-દોષ દૂર થાઓ. સૌ ઉપશમ ભાવ પામો. શત્રુતા ટળી જાઓ. સૌને મુક્તિ મળી. આ મૈત્રીભાવના છે. રામાનુજ એક આશ્રમમાં ગુરૂકુળવાસમાં હતા. તેમની સેવાથી પ્રસન્ન થઈ ગુરુએ તેમને એક મુક્તિપ્રાપક મંત્ર આપ્યો. અને કહ્યું કે આ મંત્ર તારે કોઈને આપવો નહિ. જો આપશે તો વચનભંગ થઈ અધોગતિ પામીશ. રામાનુજે વિચાર્યું જો આ મંત્રમાં આવું સુખ છે, તો તે ભલે સૌને મળો. સૌના સુખમાં મારું સુખ છે. અને તેણે સૌને ભેગા કરી મંત્ર આપ્યો, પોતે અધોગતિના દુઃખને સ્વીકારી લીધું. પરંતુ તેની આવી વિશાળ મૈત્રીભાવનાથી ગુરુ પ્રસન્ન થયા. તમારું હૃદય તાત્ત્વિક મૈત્રીથી પરિપૂર્ણ થશે ત્યારે તમે જ સ્વય અરિહંતથી અભેદ થશો. સાધુ કે શ્રાવકની આત્મદષ્ટિ એવી સમર્થ છે. અરિહંતનો પ્રેમ-મૈત્રી જેમ સર્વત્ર પ્રસરેલી છે. તેમ તમારો પ્રેમ વિકાસ પામે તો તે અભેદ પરિણામ સાક્ષાત્ થશે. તે અરિહંત પદનું તાત્પર્ય છે. મૈત્રીનો મર્મ મૈત્રીભાવના કહે છે, તારે આ દુનિયામાં કોઈ દુશ્મન નથી. રે કોઈને શત્રુ માનવા જેવું નથી. મૈત્રીભાવ એ સતપુરુષોનું સ્વાભાવિક અંગ છે. આ ધરતી પર પંચમકાળમાં જન્મેલા માનવનું આયુષ્ય અલ્પકાલીન છે, અનિશ્ચિત છે. સાથે કંઈ લઈ જવાનું નથી. પછી શા માટે વેર કરવા અને સંઘર્ષ કરવા ? વળી તેમાંથી કંઈ સુખ તો મળવાનું નથી. આ જન્મમાં સજ્જનતા જેવા સન્માનનીય ગુણો ગુમાવવા અને વેરનું પોટલું ઊંચકીને વિદાય થવું ? તેમાં શી કુશળતા છે ? ૨૬ ક સર્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74