Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 32
________________ માનવ કેવળ બુદ્ધિ નહિ પણ સદ્દબુદ્ધિ વડે જીવે તો તેને શત્ર થતા નથી. સૌની સાથે મૈત્રી રહે છે. વળી જડ કે ચેતન સર્વે પદાર્થો કોઈ ને કોઈ રૂપે તારા ઉપકારી છે. જડ પદાર્થો વસ્ત્રાદિ કે આહારાદિ રૂપે ઉપકારી છે. ચેતન પદાર્થો તારા જ સગા-સ્વજનો છે. એમ વિચારી મૈત્રીભાવના રાખવી. અનંતકાળના પરિભ્રમણમાં તે એક એક માનવીય સંબંધો ગ્રહણ કરીને છોડ્યા છે. તારા શરીરના પુદ્ગલો અન્યના શરીરમાં ગ્રહણ થયા છે. તે તે જન્મોમાં તું કોઈનો પિતા, પુત્ર, ભાઈ ભગીની કે મા રૂપે હતો આજે તે જ જીવો પાછા તારા પરિચયમાં આવ્યા છે, તેમાં હવે તારે શત્રુતા કેવી ! વળી જે જે પુદ્ગલો તે ગ્રહણ કરીને છોડેલા તે જ પુદ્ગલો અન્યના શરીર રૂપે થયા તે પણ પૂર્વે તારું જ શરીર હતું હવે તારે કોના પર વેર કરવું ? તારા જ ઉપર ! માટે એ અપલક્ષણ જવા દે. આજે પારિવારિક સંબંધો સંઘર્ષમય નીવડ્યા છે. એ સંબંધોમાં મૈત્રી-પ્રેમ ગૌણતા પામ્યા છે. વળી દરેકને એમ લાગે છે કે હું તો મૈત્રી-પ્રેમ રાખું છું. અન્ય મારી સાથે રાખતા નથી. આથી મૈત્રી મૈત્રીરૂપે ટકતી નથી. કારણ કે તેમાં અન્યના દોષનું આરોપણ છિદ્ર પાડે છે. એ છિદ્રમાંથી પ્રેમ કે મૈત્રીના આંશિક ભાવો દૂર થઈ જાય કથંચિત પ્રારંભમાં પ્રેમ અને મૈત્રી એકમાર્ગીય પ્રવેશ જેવા લાગે છે. તેની દઢતાથી તેનો પ્રસાર થાય છે. તે ન થાય તો પણ તમારી એ ભાવના તમારે માટે સુખદ્ છે. એ સુખ તમે વહેંચી દેશો ત્યારે જીવસૃષ્ટિ તેના ગ્રાહક તરીકે સદૈવ તત્પર હશે. આવો મેળ થવો તે મૈત્રીની ઉચ્ચતા છે. તારું જીવન યોગી જેવું અભેદ નથી. તું વ્યવહારના ભેદવાળો છે. વ્યવહારમાં તું તારા પરિવારના હિતની ચિંતા કરે છે. હવે તેનો વિસ્તાર કરવાનો છે. અગાઉ કહ્યું તેમ તારી સંસારની દીર્થયાત્રામાં સત્વેષ મૈત્રી ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74