Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
ફરી મેળાપ
સુરાહી અને જામ પડ્યાં હતાં. એક ખૂણામાં આરામને માટે ના રૂપાને પલંગ હતે. ખયરુન્નિસા અહીં આવી એક ગાદી પર બેઠી. થોડી વારમાં એક મનુષ્ય ધીમેથી દાખલ થયા. અવાજ થતાંની વાર તે રમણું તરત ઉભી થઈ તેણે જોયું કે, .
એક વિસ વર્ષને ઉમરાવી પિશાક ધારણ કરેલે માણસ અંદર દાખલ થયો. આવનારને ચેહેરે ગૌર, લલાટ વિશાળ, આંખ ઝીણું અને પાણીદાર હતી. તેનું નાક ઇરાનવાસીઓના જેવું હતું. તેના પરથી જોનારને ભાસ થાય છે, આ માણસને આજ્ઞા ઉઠાવવા કરતાં આજ્ઞા કરવાની વધારે ટેવ હેવી જોઈએ. તેને લલાટપરથી તે કઈ દઢ વિચારને માણસ હે જઇએ. તેના હલનચલનમાં એક પ્રકારની યૌવનસુલભ ઋર્તિ જણાતી હતી. તેની શરીરકાઠી મજબુત અને તેના અંગ કસાયેલાં ભાસતાં હતાં. તેની મુખમુદ્રાપર કંઈક ગર્વની છાયા એવી તે સ્પષ્ટ જણાતી હતી કે, આ માણસ જાણે બીજાને કંઈ વિસાતમાં લેખ નથી. આટલું છતાં એક પ્રકારની ઊંચ્ચા દરજજાને ગ્ય શીલ અને વિનયની છાપ સ્પષ્ટ દૃચર થતી હતી.
તેણે પાષામાં માત્ર સાદે ઝભ્યો અને પાગ ધારણ કર્યા હતાં, પગમાં રેશમી, નાજુક ઈજાર હતી, તેના કમરબંદમાંથી તરવાર લટકતી હતી. આ મનુષ્યને જોતાં જ સામાની મનમાં ખાત્રી પડતી હતી કે, આ માણસ દેતીને હકમાં પ્રાણની પરવા નહિ કરે, પણ જે દુશમન થયો તે પ્રાણ લેતાં પણ નહિ છોડે.
અને તે પુરુષની દૃષ્ટિએ પડેલી રમણું? in વિધાતાએ તેના અંગમાં એવી વિલક્ષણ મેહક્તા મૂકી હતી કે, જેના દૃષ્ટિપથમાં તે એક વાર આવી કે સદાને માટે તેના અંતઃકરણમાં વાસ કરી કાયમ રહેતી. અહા! મિદુરના કેટલા સરદારેને તેણે દિવાના કર્યા હતા. તેના શરીરને અમુક ભાગ કે અમુક અવયવ વિશેષ સુંદર હતું, એમ કહી શકાય તેમ ન હતું પરંતુ તેના શરીરના સર્વ ભાગ પ્રમાણસર હતા, અને એકંદર વલણ એવું હતું કે, ભલ. ભલી સુંદર સ્ત્રીઓમાં તેના જેવી સ્ત્રી સાંપડવી મુશ્કેલ હતી. તેનું વય કળવું, કઠિન હતું. તેને ચેહેરે ભભક ભય અને સામાને આંજી નાખે તે હતો:તેના શરીરને વર્ણ કેતકી સમાન હતા. તેની આંખે પાણીદાર અને હીરાની માફક તેજસ્વી હતી. તેની મુખમુદ્રાપરથી તે કઈ બુદ્ધિસંપ, ઠરેલ, અને ખટપટમાં રમી રહેલા હોય એમ જણાતું હતું. તેણે શરીરપર વાદળી ઓઢણું એાઢયું હતું, અને આછા દાગિના ધારણ કર્યા હતા; તે તેની સ્વાભાવિક શોભામાં વધારે કરતા હતા. આપણું પ્રવાસીને જોતાં જ તેના મેહપર સેહેજ શરમના શેરડા પડ્યા, તેપરથી એમ અનુમાન સહજ થતું કે, આવનાર મનુષ્યની સાથે તે પરિચિત હેવી જોઈએ.
તે રમણે આવનારને જોઈ બેલી -“શું? ઈકામુદૌલા ! આપ અહીં ?”
જી, બાનુ સાહિબા આદાબ તસ્લીમાત,” એટલું કહી તે પળભર તે રમણની સામું જોઈ રહ્યો; અને જેતાની વાર તે રમણીવિષેના અનેક વિચાર તેને મનમાં વિજળીની ત્વરાથી પસાર થયા તે બિરમાં તેને ભાગ્યોદય, રંક અવસ્થામાંથી ઉન્નત અવસ્થામાં આવવું, તે ખટપટે અને કાવાદાવા, એક સમયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com