Book Title: Ratnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 27
________________ ભારતીય સુસમાજશાસ્ત્રના નિયમોને આધારે રચાયેલા સમા જેની નિંદા કરી, તેની સામે અહીંના અર્ધદગ્ધ યુવકે વિગેરેને ઉશ્કેરી રહેલ છે. તેથી શિક્ષણ સંસ્થાઓ, પુસ્તકાલય, વર્તમાન પગે, તેવા પ્રકારના જાહેરમાં લોકપ્રિય કરાયેલા આગેવાનોના વ્યાખ્યાને, વિગેરેમાં, ખૂબ વિરોધી પ્રચાર ચાલી રહેલ છે. તથા આ દેશના તેવા પ્રકારના મુગ્ધ યુવક-યુવતિઓ તેને ખરો ભેદ પામ્યા વિના–“સિવિલ મેરેજ, આંતર રાષ્ટ્રીય લગ્ન, આંતર જ્ઞાતીય લગ્ન” વિગેરેને નામે સંસ્કારરક્ષક મજબૂત દીવાલ ઉપર ઘણના ઘા મારી તેડી રહેલ છે. અને પોતાની પ્રજાના હિત જોખમમાં મૂકી રહ્યા છે. - જ્યારે યુરોપ, અમેરિકામાં એવી જ દીવાલો રચાઈ રહી છે, અને આનુવંશિક સંસ્કારોની રક્ષા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. પિતાની ગોરી પ્રજામાં આનુવંશિક યુદ્ધ વારસે ઉતત્ર થાય, અને સમૃદ્ધ થાય, તેને માટે વૈજ્ઞાનિક પ્રયત્ન કરી રહ્યા છે. શારીરિક આનુવંશિક તો કેવા કેવા શુદ્ધ છે?” તે માટે તેના લેહી લઈ વૈજ્ઞાનિક તપાસ કરી રહ્યા છે. અને તેવા લેકેને જ અમુક હદમાં વસવા દેવાના, અને તેવા લોકો સાથે જ ભવિષ્યમાં લગ્ન વ્યવહાર સાધવા કાયદા વિગેરેથી પ્રયાસો કરી રહ્યા છે. આજની યુ૫, અમેરિકની સમગ્ર ગેરી પ્રજાના નેતાઓ આનુવંશિક શુદ્ધિ ઉપર ખાસ ભાર મૂકી રહ્યા છે, અને તે જાતના સામાજિક નિયમે ત્યાં ઘડી રહ્યા છે, તેવા કાયદા પસાર કરી રહ્યા છે, તેવું સાહિત્ય લખી રહ્યા છે, તેવી વૈજ્ઞાનિક શોધ કરી રહ્યા છે. અને સાથે સાથે ભારતીય સંસ્કારી માનવ પ્રાણિના કાળ જેટલા જુના આનુવંશિક સંસ્કારની હરિફાઈમાં ઉતરવા માટે, બીજી બધી બાબતની જેમ તેમાં આગળ પડતા રહેવા માટે, અહિંના સંસ્કાર ભૂસવા અનેકવિધ પ્રયત્નો ચલાવી રહેલા જણાય છે. આ આનુવંશિક શુદ્ધિના વિષયના ભારતીય શિષ્ટ સાહિત્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112