Book Title: Ratnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 57
________________ પૂર્ણ સમાવેશ પાતિવત્યમાં થાય છે. જે સ્ત્રી જાતિય બરાબર જાળવી શકે છે, તે સંપૂર્ણપણે વ્યાવહારિક શિક્ષણ પામેલી શ્રી ગણાય છે, અને ગણાવી જોઈએ. પાતિવત્યમાં–ગૃહરક્ષા, કલાશિક્ષણ, ઘરના કામકાજની આવડત, અતિથિસત્કાર, કરકસર, શૃંગાર–વેષ સજવાની આવડત, લજજા, નમ્રતા, મર્યાદા, વિનય, ભજન વિધિની સંપૂર્ણ આવડત, ઘર ખાતર ભેગ આપવાની વૃત્તિ, કષ્ટ સહન કરવાની વૃત્તિ, સુસંતાનંત્પાદન અને સંવર્ધન, કુટુંબીજનેની સારસંભાળ, સાદું અને સંયમી જીવન, આબરૂ અને વૈભવ પ્રમાણે રહેણી-કરણી નાત, જાત, સમાજમાં મ આબરૂ ટકાવવા, પતિની મિલકત જાળવવી, વધારવી, પ્રસંગે તેનો વહીવટ કરવો, પતિના સંતાનને ઉકર્ષ કર વિગેરેથી માંડીને પતિની પાછળ સતી થવા સુધીની તમામ સુફરજો પતિવ્રત્યમાં સમાય છે. પતિવ્રત્ય સિવાય ગમે તેટલું શિક્ષણ અને સ્વતત્રતા નકામા, માત્ર નામનાજ છે. અથવા, ભયંકર, અજ્ઞાન અને પરતંત્રતાની સજડ મેરૂ૫ છે. અને વિકૃત સમાજવ્યવસ્થા થવાને કે હેવાનો મજબુત પૂરાવે છે. પતિવ્રત્યનું જેમ બને તેમ જે દેશમાં, જે સમાજમાં સ્ત્રીઓ વધારે પાલન કરે, તે સમાજ, તે દેશ વધુ સંસ્કારી અને વ્યવસ્થિત છે, એમ સમજાવું. કેમકે પતિવ્રત્ય એ સ્ત્રી–જાતિની દુન્યવી લાયકાતનું માપ કાઢવાની મહા પારા-શીશી છે. આ વાત તે, સર્વસામાન્ય સંસ્કારી ગૃહિણી સ્ત્રીઓ માટે થઈ. આર્ય સ્ત્રીઓએ આર્યસંસ્કૃતિ અને આર્ય સમાજ વ્યવસ્થાના ધોરણે તેના કરતાં ઉચ્ચ પ્રકારનું પાતિવ્રત્ય પાળવાનું હોય છે, જેને જેનશાસ્ત્ર અનુસાર એક પ્રકારનું માર્ગોનુસારપણું પણ કહી શકાય છે. પુરુષને નૈતિક ગુણેની રક્ષા અને પિતાની ફરજના પાલન ખાતર જેમ આત્મબલિદાન આપવાના હોય છે, જીવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112