Book Title: Ratnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 70
________________ આવા વ્યંતરજાતિના પ્રસંગે બન્યાની હકીકત મળે છે. તેમના સાંસારિક પતિ કઈ તેવી જાતની દેવજાતિમાં ઉત્પન્ન થવાને અંગે, તેમની વિરુદ્ધ ઘણું હીલચાલ કરતા હતા, એમ તેમને જણાવ્યું હતું. તેની સાથે સાથે તપના પ્રભાવથી સારા દે અને સારા તો તેનું નિવારણ કરતા હોય, તેમ પણ તેમને જણાયું છે. તેમની અસાધારણ ભદ્ધિકતા, કેવળ ચારિત્રનિષ્ઠા, બનતા સુધી કોઈપણ સાંસારિક કે સાધ્વીજી જીવનની પણ વ્યાવહારિક બાબતમાં બહુ ન પડતાં તટસ્થ રહેવાની અને કાયમ શાંત અને સ્વસ્થ બેસવાની ટેવ, જિનમંદિરમાં ચાર ચાર કલાક પ્રભુભક્તિમાં લીન થવાની પ્રવૃત્તિ, એ દરેક સંજોગોને લીધે તેમની આત્માર્થિતા તે વધતી જ ગઈ હતી. વળી, કોઈક વખતે તેમનાથી કાંઈ બોલાયેલા શબ્દોની નોંધ કરી રાખી હોય, તે તેમાંનું કાંઈક કાંઈક ખરું પડવાના પણ દાખલા મળેલા છે. છતાં, ઈરાદાપૂર્વક પૂછવામાં આવ્યું હોય, તે તેને કઈ પણ જવાબ ઘણે ભાગે નથી મળતું, માત્ર કવચિત રવાભાવિક રીતે બેલાઈ જવાયું હોય, અને તે સાચું પડવાના દાખલા છે. પછી તે કાન્તાલીય ન્યાયથી પણ હોય. પરંતુ, આ વસ્તુઓ ખુબ કસોટી કરીને કહ્યા પછી જ તેના ખા ટાપણા વિષે ચેકસ અભિપ્રાય આપી શકાય, છતાં, તેમના જીવનની આ પણ એક ઘટના હેવાને અંગે અમે તેને આટલું સ્થાન આપ્યું છે. પ્રકરણ ૮ મું. શાસનપ્રભાવિકા સાધ્વીજી શ્રી તીર્થ શ્રીજી મહારાજ આ બધે તે જે સાધ્વી જીવનને સામાન્ય જીવન કમ છે, પરંતુ, ઉક્ત સાધ્વીજીની મહત્તા તેથીયે વિશેષ છે, માટે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112