Book Title: Ratnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 61
________________ અંગ હુંઠવાઈ જતા હોય, તે પણ અગ્નિથી તાપવાનું કે તેને અડવાનું પણ જીવનભર નથી હોતું. પછી અનિથી સંધી લેવાની તે વાત જ શી ? છે. ગમે તેટલી ગરમી અને બફાર થતું હોય, છતાં પંખાને કે વીંજણાને જીવનભર ઉપગ કરવાનું નથી હોતું, પણ પડાના છેડાથી કે કાગળના પુંઠાથી પણ પવનની ઝાપટ લગાડવાની જીવનભર નથી હોતી. ૫. કોઈ પણ ફળ, ફૂલ, શાક વિગેરેને જાતે સ્પર્શ કરવાને પણ નથી હોતું. અનાજને પણ સ્પર્શ કરવાનું નથી હોતે. ગમે તેવી ભૂખ લાગી હોય અને સામે ફળેથી આંબા વિગેરે વો જાણે લચી પડતા હોય, પણ તેમાંથી એકપણ ફળને અડવાનું નથી હોતું. માલિક રજા આપે તેપણુ, અડવાનું નથી હતું. માત્ર માલિકે પિતાને માટે ખાવા માટે સમારીને તૈયાર કરેલ હોય અને અચિત થયેલ ફ્રાય, અને તે ઈચ્છાપૂર્વક મનમાં સંકોચ વિના રાજી ખુશીથી તેમાંથી જે કાંઈ આપે, તેજ, તેને પણ ગુરુ આજ્ઞા હોય છે, અને તે પ્રમાણેજ, ઉપયોગ કરી શકાય છે. ૬ સીધી રીતે જાતે કેઈપણ જીવની હિંસા કરાવવા, અનુમોદના કર્યા વિના જીવનભર પસાર કરવાનું હોય છે. પુરુષ જાતિના ગમે તેટલા નાના બાળકને જીવનભર સ્પર્શવાનું પણ નથી હોતું. સ્મૃતિથી પણ બ્રહ્મચર્યનો ભંગ ન થાય, એ માટે એ રીતે રક્ષણ કરી બ્રહ્મચર્યના પાલન માટે એટલી બધી કડકાઈ રાખવાની હાથ છે. પુરુષના સહવાસ અને સંસર્ગની તે વાત જ શી ? જે જગ્યાએ પુરુષ બેઠેલ હોય, તે જગ્યાએ અમુક વખત સુધી બેસવાનો પણ ત્યાગ કરવામાં આવે છે. ૭ ખાવાની ચીજ કે એવી કોઈ પણ મોંમાં નાંખવાના ઉપગની ગમે તેટલી સારી ચીજ હોય, આવતી કાલે કાંઈ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112