Book Title: Ratnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 31
________________ ૬ પ્રજાના આખા સંસ્કાર માટેના આધુનિક વિકારી સામે હાલની શિક્ષણ સંસ્થાઓ ગોરી પ્રજાઓના સ્વાર્થોને અનુકૂળ વિષયાનું જ્ઞાન આપે છે, અને સાથે સાથે અહીંની પ્રજાના જીવન તદનુકૂળ એટલે ગોરી પ્રજાના સ્વાર્થને અનુકૂળ દરેક પ્રકારનું ઘડતર પણ કરે છે, એ બે કામ ખાસ કરે છે. ૭ બાળ સુસંસ્કાર આપવાના આ દેશના પ્રકારે. આ દેશમાં ધર્મસંસ્થાઓ ગ્રહણ અને આસેવન શિક્ષા દ્વારા જ્ઞાન અને બાહ્ય સંસ્કાર પૂરા પાડતી હતી. ગ્રહણુશિક્ષા એટલે વિશ્વના ગહન પદાર્થોનું શાસ્ત્રો માસ્કૃત અધ્યયન અને જ્ઞાન સંપાદન. તેમાં ભારતવર્ષ છેષ હતું. તેમાં પણ અમુક અમુક દશનો ખૂબ ઊંડે સુધી ગયેલા હેવાના ભારતીયા પ્રાચીન અને ગંભીરઃ સાહિત્ય ઘણા પૂરાવા પૂરા પાડે છે. આસેવન શિક્ષા એટલે–સુસંસ્કારી જીવન બનાવનારા રીતરિવાજ, આચાર, ધારણા, રૂઢિઓ, વ્રત, સંસ્કાર વિગેરેની ટેવ કેળવી સરળતાથી જીવનમાં અમલ કરાવે. સુસમાજશાસ સૂત્ર છે કે – કોઈ પણ માનવ સમાજને બહારથી પણ સુસંસ્કારી રાખવી હોય તે સમાજના હિતચિંતકોએ સારા સારા આચારરૂપ જીવનના ઉત્તમ નિયમે, વિગેરે શોધી કાઢી પ્રજામાં રૂઢ કરી દેવા જોઈએ. જાણતાં અજાણતાં પણ એ રૂઢિઓને વળગીને પ્રજા જેમ જેમ ચાલે છે, તેમ તેમ તેના લાભે તે ઉઠાવે છે. દરેક માન દરેક સુનિયોને સ્વયં સમજીને અમલમાં નથી મૂકી શકતા, પણ પિતાની આજુબાજુ પિતાના જન્મથી પહેલાં રૂઢ થયેલા નિયમ યુવે છે, તે દેખાદેખીથી પણ પાળે છે. એટલે પણ તેના ફાયદા તેને અનાયાસે જ મળે છે. એમ કરવાથી સુસમાજશાસ્ત્રના અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112