Book Title: Rajkumari Sudarshana Yane Samli Vihar
Author(s): Devendrasuri, Kesarvijay Gani
Publisher: Jotana Jain Sangh

View full book text
Previous | Next

Page 8
________________ અને પિતાના હલકી જાતના કિન્નરીપણાના પદની સરખામણીથી, તેમજ માનવ જિંદગીમાં સર્વ સામગ્રી મળ્યા છતાં દેવી સુદર્શનાના મેહથી તીર્થની અધિષ્ઠાત થવા કરેલા નિયાણના કારણથી પિતાની જિંદગીને ખરે ઉપયોગ ન કરી શકવાથી થતે કિન્નરીને પશ્ચાત્તાપ અને પિતાની માફક માનવ જિંદગી હારી ન જવા માટે ધનપાળને કરેલી ભલામણ-આ સર્વ બીના આ ચરિત્રની આગળ પાછળ આવેલી છે. વચલા ભાગમાં રાજકુમારી સુશૈનાનું જીવનચરિત્ર છે. • સમળી જેવા તિર્યંચના ભવમાંથી રાજકુમારી જેવા માનવભવમાં આવવામાં નિમિત્તકારણે પરમકૃપાળુ મુનિરાજના મુખથી પંચપરમેષ્ઠિ મહામંત્ર શ્રવણ અને તેમને પ્રબળ અસરકારક સાત્વિક બંધ હતો તાત્વિક બેધથી પરામ્બુખ, કર્તવ્યાક્તવ્યના વિવેક વિનાના અને પંખી જેવા મૂઢ (અજ્ઞાન) શામાં રહેલાં પ્રાણિઓ પર પણ શાંત પ્રકૃતિવાળા મહાત્માઓના દઢ સંકલ્પની કેવી સચોટ અસર થાય છે તે આ કુમારીના વૃત્તાંતમાંથી નોંધ લેવા જેવું છે. રાજકુમારીના સંબંધમાં પ્રભુભક્તિનું ફળ, જીવહિંસાનું વિષમ પરિણામ, મહાન પુરુષોની આંતર કરુણામય લાગણી અને સંકલ્પ, નમસ્કાર મહામંત્રને પ્રભાવ, પૂર્વજન્મ, ત્યાગમાર્ગ અને ગૃહસ્થાશ્રમની સરખામણી; સુર્શનને વૈરાગ્ય, ગુરુ પ્રત્યેને પૂજ્યભાવ, દ્રવ્યને સદ્દઉપયોગ અને ધર્મમય જીવન વિગેરે દરેક પ્રસંગે મનન કરવા સાથે-આદર કરવાયોગ્ય છે. તે સાથે શાણું શીયળવતીનું પવિત્ર જીવન કે જે સુશૈનાના વર્તમાન જીવન સાથે જોડાયેલું છે. તેના દરેક પ્રસંગે ઘણું બારીકાઈઇથી સ્મરણમાં રાખવા યોગ્ય છે. જેમ આ ચરિત્રના પદમાં રેખા લ્ય સતી શીયળવતી છે તે સાથે મહાત્મા વિજયકુમાર મુનિ તે પણ પવિત્રતાને એક નમૂનો છે, આ ચરિત્રના પ્રસંગમાં આવેલાં દષ્ટાંત અને ઉપદેશમાં મુખ્ય તરીકે ધના, ધર્મયશા મુનિ, કર્મનાં વિપાકો, ગૃહસ્થનાં નિત્ય કર્તવ્ય, જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપગ્રહદાન, શીયળ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 466