Book Title: Prekshadhyana Kayotsarga Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 8
________________ ભૂમિકા તનાવને યુગઃ વર્તમાન યુગ ઉદ્યોગીકરણ, શહેરીકરણ અને પ્રૌદ્યોગિક વિકાસને યુગ છે. આજને નાગરિક નિરંતર દબાણ અને તનાવની વચ્ચે જીવે છે. એને લીધે જ સતત હાઈ બ્લડપ્રેશર, અનિદ્રા અને હદયરેગના વિભિન્ન પ્રકારના હુમલા અને અનેક શારીરિક રોગને તે શિકાર બને છે. જ્યારે માનવી આ બધાથી હતાશ–નિરાશ થઈ જાય છે ત્યારે મદ્યપાન કે કે ખતરનાક નશીલા પદાર્થોનું સેવન કરવા આકર્ષાય છે અને દુઃખ ભૂલવા પ્રયત્ન કરે છે. આ માદક અને નશીલા પદાર્થોના સેવનથી તેને ફક્ત ક્ષણિક રાહત જ મળે છે, પણ છેવટે તે આ વ્યસનો શિકાર, આદતી જ બની જાય છે અને સમસ્યાના ઉકેલને બદલે વધારે ઉલઝનમાં મુકાઈ જાય છે. આથી એ સ્પષ્ટ થાય છે કે સમસ્યાઓનું સમાધાન માદક-નશીલા પદાર્થોનું સેવન નથી, પરંતુ વૃત્તિઓનું રેચનસંયમ તેમ જ આંતરિક શક્તિઓને વિકાસ જ છે. ધ્યાનઅભ્યાસ દ્વારા વ્યક્તિ તેને સાહજિક રૂપે ફલિત કરી શકે છે. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66