Book Title: Prekshadhyana Kayotsarga
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ કાયાત્સર્ગની બીજી અવસ્થામાં કેટલાંક આવાં વિશિષ્ટ પરિણામેા પ્રાપ્ત થાય છે ઃ • સ્નાયુ-તંત્ર પ્રભાવિત થાય છે. ર મસ્તિષ્કના તરંગો અને મસ્તિષ્ક્રીય વિદ્યુતમાં પરિ વર્તન થાય છે. ૦ આકસીજનના વપરાશ આછા થાય છે. અનૈચ્છિક માંસપેશીઓ પર નિયંત્રણ આવે છે અને સ્વાયત્ત સ્નાયુતંત્રની ઉત્તેજનાનું સ્તર તદ્ન નીચું જાય છે અને તેમાં પણ સ્થિરતા આવે છે. • શારીરિક કાર્યક્ષમતા વધે છે. ૦ શ્ર્લેષ્મ વગેરે દોષ દૂર થવાથી દેહની જડતા નાશ પામે છે. O O જાગરૂકતાને લીધે બુદ્ધિની જડતા નાશ પામે છે. ઠંડી–ગરમી વગેરે દ્વંદ્વોમાં સહનશક્તિ વધે છે. ચિત્તની એકાગ્રતા સરળ મની જાય છે. O તેની ત્રીજી અવસ્થામાં સ્થૂળ શરીરના ોધ નષ્ટ થાય છે અને સૂક્ષ્મ શરીરની સક્રિયતા વધે છે. ઘણી વખત તે તે સ્થૂળ શરીરને છોડીને બહાર નીકળી જાય છે. આ સ્થિતિ પ્રાપ્ત થતાં સૂક્ષ્મ પદ્યાર્થી ષ્ટિગત થવા માંડે છે. ચેાથી (નિરુદ્ધ) અવસ્થામાં આત્માના ચૈતન્યમય સ્વરૂપના પ્રત્યક્ષ અનુભવ થવા માંડે છે. 7 તનાવમુક્તિ સાધનાનું પ્રથમ ચરણુ કાર્યાત્સર્ગ અને કાર્યાત્સર્ગનું પ્રથમ પરિણામ-પ્રત્યક્ષ ફળ તનાવ-મુક્તિ છે. જે કોઈ સાધક 56 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66