Book Title: Prekshadhyana Kayotsarga
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ આ સાધના કરશે તેના તનાવ ધીરે ધીરે વિસર્જિત થવા માંડશે. જે કઈ સાધક કાર્યોત્સર્ગની સાધના કરે તેની તનાવ મુક્તિ થાય જ છે. કાર્યોત્સર્ગ તનાવ-મુક્તિને અચૂક ઉપાય છે. જેણે કાત્સર્ગને અભ્યાસ કર્યો છે, શરીરના શિથિલીકરણને પ્રયત્ન કર્યો છે, મમત્વને દૂર કરવાને અભ્યાસ કર્યો છે તેનું શરીર તનાવમુક્ત થઈ ગયું છે. તેમણે સહુએ એ અનુભવ કર્યો છે કે, તેમનું શરીર તક્ત તનાવ-મુક્ત થઈ ગયું છે, તદ્દન હલકું થઈ ગયું છે, જમીનથી ઉપર ઊઠી રહ્યું છે. શરીર જમીન પરથી ઉપર ઊંચકાય તે કાંઈ નાની સૂની વાત નથી, ખૂબ મહત્વપૂર્ણ વાત છે. તેનાથી માનસિક બેજે પણ ખૂબ ઓછો થાય છે. કાત્સગ કરનાર સાધક માનસિક ભારથી મુક્ત થઈ જાય છે. કાર્યોત્સર્ગને આ પ્રત્યક્ષ લાભ છે. કોત્સર્ગ કરનાર સાધક પહેલા કે બીજા જ દિવસે આ સ્થિતિને અનુભવ કરે છે. D ચંચળતાની નિવૃત્તિ આ શિથિલીકરણ એટલે ચંચળતાની નિવૃત્તિ. શરીર સંપૂર્ણ રીતે સ્થિર બને. એક પણ અવયવ હાલે નહિ, અસ્થિર ન બને. શરીરની સંપૂર્ણ પ્રવૃત્તિઓને અટકાવી દેવી તે જ શિથિલીકરણ, આપણા શરીરમાં બે પ્રકારનાં નાડીસંસ્થાને છે? સ્વયં ચાલિત નાડીસંસ્થાને અને ઈચ્છાનુસાર ચાલતાં નાડી સંસ્થાન. આપણે સૌથી પ્રથમ ઈચ્છાનુસાર ચાલતાં નાડીસંસ્થાનને સ્થિર 57 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66