________________
અને અભયને નિષ્પન્ન કરી તે કૃતકૃત્ય થઈ જાય છે. વીતરાગતાને પ્રારંભ પણ અભયથી જ થાય છે અને વીતરાગતાની પૂર્ણતા પણ અભયથી જ થાય છે.
- જે વ્યક્તિ ભયમુક્ત નથી હોતી તે કદાપિ ધાર્મિક બની શકતી નથી તેમજ તે કાર્યોત્સર્ગ પણ કરી શકતી નથી.
કાયેત્સર્ગને અર્થ પણ અભય જ છે. કાર્યોત્સર્ગને. અર્થ છે–શરીરની ચિન્તાથી મુક્ત થઈ જવું.
શરીરની ચિન્તાથી મુક્ત બનવું તે વાત આમ તે ખૂબ સરળ, સહેલી લાગે છે. પરંતુ માનીએ તેટલી તે સરળ નથી. શરીર પ્રત્યે થયેલા ભયથી મુક્તિ મેળવવી તે સહેલી વાત નથી. “અમે શરીઆ શરીર મારું છે – જે ક્ષણે આ સ્વીકૃતિ થાય છે તે જ ક્ષણે ભય પેદા થઈ જાય છે. ભયની ઉત્પત્તિનું મૂળ કારણ આ જ છે. શરીરનું મમત્વ જ ભય ઉત્પન્ન કરે છે. મમત્વ અને ભય બે અલગ નથી.
જ્યાં મમત્વ છે ત્યાં ભય છે, અને જ્યાં ભય છે ત્યાં મમત્વ છે. મમત્વને ત્યાગવું, તેમાંથી મુક્તિ પામવી તે જ ભયમુક્ત થવું છે અને ભયમુક્ત થવાને અર્થ છે. મમત્વહીન થવું–
મમત્વને છેડવું એ જ ચૈતન્ય પ્રત્યેની જાગરૂકતા છે. શરીર પ્રત્યેનું જે મમત્વ છે, તેનાથી મુક્તિ પામવી તે ઘણી મોટી સિદ્ધિ છે.
Jain Education International
2 For Private & Personal Use Only
www.jainelibrary.org