Book Title: Prekshadhyana Kayotsarga
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ ચાલુ જ રહે છે. એટલા માટે જ શરીરને સ્થિર અને મનને એક ધ્યેય પર કેન્દ્રિત કરવા છતાં પણ ઇન્દ્રિયના અનુભવે, સુખ-દુઃખ, ઠંડી–ગરમી વગેરે સંવેદને થતાં જ રહે છે. ધ્યાનની આ પ્રથમ ભૂમિકા છે. શરીરની સ્થિરતા માટેનાં અસંખ્ય સ્તરે છે. તે બધાં જ સ્તરનું વિશદ વર્ણન કરવા માટે કોઈ ભાષા આપણી પાસે નથી. શારીરિક સ્થિરતાની ત્રણ અવસ્થાઓ છેઃ ગાઢ, ગાડતર અને ગાઢતમ. એથી અવસ્થામાં શરીરની પ્રવૃત્તિ અટકી જાય છે. T શિથિલીકરણ : મૃત્યુની પ્રક્રિયા કાયેત્સર્ગ મૃત્યુની પ્રક્રિયા છે. તેમાં બે બાબતે બને છે. શરીર એટલું બધું શિથિલ થઈ જાય છે કે તેમાં કઈ પણ એચ્છિક (voluntary) પ્રવૃત્તિ થતી નથી. શ્વાસ એટલે બધે ધીમે પડી જાય છે કે તેના સ્પંદને પણ ખૂબ જ ધીમાં પડી જાય છે. એવું લાગે છે કે શ્વાસ બંધ થઈ ગયું છે. જ્યારે કોઈ પણ જીવિત વ્યક્તિને પિતે મૃત છે તે અનુભવ થાય છે, ત્યારે જ એગ્ય કાર્યોત્સર્ગની કિયા થઈ તેમ કહી શકાય છે. તમે કાર્યોત્સર્ગની પ્રક્રિયા કરે અને જીવતા હોવા છતાં મરેલાનો અનુભવ કરે અને શરીરને તદ્દન નિષ્ક્રિય, નિશ્ચષ્ટ અને પ્રવૃત્તિશૂન્ય બનાવે. કાયાને ઉત્સર્ગ એટલે શરીરને તદ્દન છેડી દેવું. મૃત્યુ પછી તે દરેક માનવી શરીરને છેડી દે છે, ક્યાં તે તે છૂટી જાય છે. પરંતુ જીવતાં જીવ શરીરને છેડી દેવું એ તે ઘણી મિટી સાધના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66